Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
એમ.એમ. દેસાઈ જણાવે છે કે “નિષ્ક્રિય વાયુઓ સ્થાયી હોય છે” (ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ પ્રકાશિત, ભાગ-૫ પૃષ્ઠ-૪૯) આથી લાંબા સમય સુધી બલ્બને પ્રકાશવામાં નાઈટ્રોજન વગેરે વાયુઓ સહાયક બને છે. નિયોન પણ નિક્તિ વાયુ હોવાથી વિધુત દીવા, નિયોન ટયુબ, નીલદિપ્ત પ્રકાશનળીઓની રચના, સ્પાર્ક ચેમ્બર વગેરેમાં ભરવામાં આવે છે. (જુઓ વિજ્ઞાનકોષભાગ-પ/પૃષ્ઠ-૪૧૩) હેલોજન લેમ્પમાં હેલોજન વાયુ ભરવામાં આવે છે. સોડીયમ વેપર લેમ્પ, મર્ક્યુરી લેમ્પ વગેરેમાં સોડીયમ વેપર, મર્ક્યુરી વેપર વગેરે વાયુઓ ભરવામાં આવે છે. આ વાત પણ પ્રસિદ્ધ છે.
ગુજરાત સમાચાર તા.૨૬-૬૦૨ બુધવારની પૂર્તિમાં “ઈલેક્ટ્રીક લાઈટ કેવી રીતે કામ કરે છે ? આવા હેડીંગવાળા લેખમાં પણ જણાવેલ છે કે “શું તમે જાણો છો કે બલ્બમાં વાયુ પણ હોય છે ? હા, બલ્બમાં વાયુ પણ હોય છે. જેનું નામ છે આર્ગન. આ વાયુ ટન્ગસ્ટન સાથે જોડાઈ શકતો નથી. Gip
Electricity એટલે જ તેને બલ્બમાં ભરવામાં આવે છે.” જુઓ ચિત્ર )
Tungsten wire filament
S
Gas
Switch
Gases support
નાના
To
Matal
Electricity From main
૧. ૧૯૨૦ સુધી આર્ગન વાયુનો ઉપયોગ ઉદ્દીપ્ત દીવો (incandescent lamp) ભરવામાં થતો. આર્ક વેલ્ડીંગમાં થતા અનિચ્છનીય ઑક્સીડેશન રોકવા માટે પ્રતિદીપ્ત દીવો (flourescent lamp), ઈલેક્ટ્રૉનિક નળીઓ વગેરે ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન ભાગ-૫ પૃષ્ઠ.૫૫ કુ. સી.વી.વ્યાસ કત- “આર્ગન' પ્રકરણમાંથી સાભાર ઉદ્ધત)
(૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org