Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 108
________________ જિનાગમમાન્ય વ્યવાહારિક પરમાણુ કરતાં પણ ખૂબ જ મોટો/સ્થૂલ છે. કારણ કે ડાલ્ટનના સિદ્ધાન્ત પ્રમાણે જુદા જુદા તત્ત્વોના પરમાણુઓનું વજન જુદું-જુદું હોય છે. (જુઓ વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન ભાગ-૫ પૃષ્ઠ-૪૨૨) આમ જિનાગમસંમત અનેક પરમાણુઓથી ટિત એવા સ્થૂલ સ્કંધને જ વિજ્ઞાને ‘પરમાણુ’ નામ ધરી દીધું છે. બાકી અંત્ય અવિભાજ્ય એવા પરમાણુના વજનમાં કે દળમાં ફેરફાર કઈ રીતે પડી શકે ? આથી વિજ્ઞાનમાન્ય પરમાણુ તો સ્થૂલ સ્કંધ જ સાબિત થાય છે. માટે જ વિજ્ઞાનમાન્ય અણુને તોડી શકાય છે. જિનાગમ મુજબ વ્યાવહારિક પરમાણુને શસ્ત્રાદિ દ્વારા તોડી શકાતો નથી. આ વાત અનુયોગદ્વારસૂત્રમાં પ્રસિદ્ધ છે. १. से किं तं परमाणू ? परमाणु दुविहे पन्नत्ते, तं जहा- सुहुमे अ ववहारिए अ । अत्थणं जे से सहमे से ठप्पे । तत्थ णं जे से ववहारिए से नं अनंतानंताणं सुहुमपोग्गलाणं समुदयसमितिसमागमेणं ववहारिए परमाणुपोग्गले निष्फज्जइ । से णं भंते ! असिधारं वा खुरधारं वा ओगाहेज्जा ?, हन्ता ओगाहेज्जा | से णं तत्थ छिज्जेज्ज वा भिज्जेज्ज वा ?, નો ફળદું સમકે, નો વસ્તુ તત્વ સત્યં મર્1 મે નં અંતે ! તત્વ હેન્ના ? ન રૂટ્ટે સમટ્ટે, નો खलु तत्थ सत्थं कमइ । से णं भंते ! पुक्खरसंवट्टगस्स महामेहस्स मज्डांमज्झेणं वीइवएज्जा ?, हंता विइवएज्जा । से णं तत्थ उदउलते सिआ ?, नो इणट्ठे समट्टे, नो खलु तत्थ सत्यं कमइ । से णं भंते ! गंगाए महानईए पडिसोयं हव्वमागच्छेज्जा ? हंता हव्वमागच्छेज्जा | से णं तत्थ विनिघायमावज्जेज्जा ?, नो इणट्टे समट्टे, नो खलु तत्थ सत्यं कमइ । से णं भंते! उदगावत्तं वा उदगविंदु वा ओगाहेज्जा ? हंता ओगाहेज्जा | से णं तत्थ कुच्छेज्जा वा ?, વરિયાવન્ગેા વા ?, તો ફળકે સમકે, નો હતુ તત્વ સત્યં વમર્ । (અનુ.મૂ.૨૬૮) અર્થ :- પરમાણુ શું છે ? પરમાણુ બે પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ. આમાં સૂક્ષ્મ પરમાણુ પ્રકૃતમાં અનુપયોગી હોવાથી અવ્યાખ્યેય છે. વ્યાવહારિક પરમાણુ છે તે અનંતાનંત સૂક્ષ્મ-૫૨માણુઓના સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધારને અવગાહિત કરી શકે છે ? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી. કારણ કે વ્યાવહારિક પુદ્ગલપ૨માણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદાતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યભાગમાં થઇને પસાર થઈ જાય છે ? હા, પસાર થઈ જાય છે. તે તેમાં બળી જાય છે ? આ અર્થ સમર્થ નથી. કેમ કે અગ્નિરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્ક૨સંવર્તક નામક મેઘની ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166