Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 133
________________ તેરાપંથી અનુયાયીઓ માટે વિચારણીય બાબત છે. કેમ કે આવું ક૨વામાં શ્રીજિનશાસનની રક્ષા કે પ્રભાવના તો નથી જ થતી. પરંતુ તેરાપંથના મૂળભૂત સિદ્ધાન્તોનો પણ પ્રચાર કે પ્રસાર નથી જ થતો. તેરાપંથીઓ ખરા અર્થમાં જો ધાર્મિક હોય તો શું આવી ઘોર વિરાધનામય સાધનસામગ્રીના વપરાશને તેઓ ચલાવી શકે ખરા ? પોતાના સ્વાર્થને સાધવા આ રીતે થતી ઉત્સૂત્રપ્રરૂપણા, ઉન્માર્ગપ્રવર્તન, મિથ્યાત્વપોષણ વગેરે મહાદોષને ભવિષ્યના તટસ્થ તેરાપંથીઓ શું માફ કરશે ખરા ? * સુશીલ કે કુશીલ ? સૂયગડાંગસૂત્રમાં તો સ્પષ્ટપણે જણાવેલ છે કે માતા-પિતા વગેરેનો ત્યાગ કરીને શ્રમણજીવનમાં જે પોતાની સુખશીલતાસુવિધા માટે અગ્નિકાય જ્વોની વિરાધના કરે છે તે સુશીલ નહિ પણ કુશીલ છે. આ રહ્યા શબ્દો 'जे मायरं वा पियरं च हिच्चा समणव्वए अगणि समारभिज्जा 1 अहाहु से लोए कुसीलधम्मे भूताइं जे हिंसति आसते ।।' (શ્રુતસ્કંધ-૧ અધ્ય.૭/ગાથા-૫) પ્રસ્તુતમાં લાઈટ, માઈક, પંખો, એરકન્ડીશન, ટી.વી., વિડીયો... વગેરેના માધ્યમથી માત્ર પોતાની સગવડ પોષવા સિવાય અને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ મેળવવા સિવાય બીજું બહુમૂલ્ય પ્રયોજન ઈલેકટ્રીસીટીને-વિદ્યુતપ્રકાશને નિર્જીવ તરીકે જાહે૨ ક૨વામાં શું હોઈ શકે ? તેનો નિર્ણય વિજ્ઞ વાચકવર્ગ ઉપર છોડવામાં આવે છે. પ્રાન્તે, હે મહાપ્રજ્ઞજી ! હું તો અલ્પજ્ઞ છું. જો કે પૂજ્યપાદ ઉમાસ્વાતિજી મહારાજ, સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી મહારાજ વગેરે Jain Education International ११७ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166