Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 127
________________ શું કોઈ વ્યક્તિ નિશ્ચિતપણે કાયમ માટે અદા કરી શકે તેમ છે ? એક વાત તો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જીવમાં સુખેષણા-સુખશીલતા-પ્રમાદવૃત્તિ અનાદિકાળથી રહેલી જ છે. તથા તેમાં મોહને ઉત્પન્ન કરવાની ગજબનાક તાકાત છે. અને મોહમાં સાધકનું શતશઃ વિનિપાત કરવાની કલ્પનાતીત ક્ષમતા છે. આ તો બકરું કાઢતાં, ઉંટ નહિ, મહારાક્ષસ પેસી જશે. ખરેખર આ બાબતની વધુ પારદર્શક વિચારણા કરવી હોય તો એક અન્ય સ્વતંત્ર ગ્રંથરચના તેના વિશે થઈ શકે તેમ છે. જો કે આવા ગ્રંથની રચના તો મારા બદલે માનનીય મહાપ્રજ્ઞજી જ વધુ સારી રીતે કરી શકે તેમ છે. કારણ કે તેઓશ્રી આવનારા અનેક દાયકાઓ વિશે સચોટ કલ્પના કરવાની ઘણી સારી ક્ષમતા ધરાવે છે - એવું સાંભળેલ છે. તેથી તેમણે આ બાબતમાં ગંભીરતાથી નુકશાનોનો વિચાર કરીને સાધુ-સાધ્વીજી માટે ઈલેક્ટ્રીસીટી-ઈલેકટ્રોનિક સાધનોના વપરાશ અંગે અત્યંત ઝડપથી મનાઈ હુકમ આગમાનુસારે બહાર પાડવાની તાતી જરૂરીયાત જણાય છે. ખરેખર ૨૧મી સદીમાં જો આ રીતે નવા નવા સાધનો શોધાતા જ જશે અને જો તેનો ઉપયોગ તમામ સાધુઓ કરતા જ રહેશે, તો પછી સંસારી અને સાધુની ભેદરેખા પારખવી પણ મુશ્કેલ બની જશે. માટે અમુક પ્રકારના કટોકટીના સંયોગમાં અને સામાન્ય સંયોગમાં, સાધુ અને શ્રાવક માટે, અશુદ્ધસાધનના વપરાશ માટે અમુક હદ-મર્યાદા-સીમા નક્કી રાખવી જ જોઈએ. આધુનિક સાધનોના વપરાશથી પ્રચાર-પ્રસારની ગતિમાં કદાચ ઝડપ આવી શકશે. પણ તેનાથી આત્મપરિણામની વિશુદ્ધિ-પ્રગતિ-ઊર્ધ્વગતિ સધાશે કે અશુદ્ધિ-અવનતિ અને અધોગતિ સર્જાશે ? એ કોયડો તો વણઉકેલ્યો જ રહે છે. ૧૦૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166