Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 115
________________ આપણે કોણ ? તથા ઈલેકટ્રીસીટીને નિર્જીવ કહીને જાહેરમાં માઈકલાઈટ વગેરેનો ઉપયોગ સાધુ થઈને કરવો-કરાવવો તે ઉન્માર્ગ નહિ તો બીજું શું છે ? શાસનરક્ષા-પ્રભાવનાના હુલામણા નામથી પણ જો પોતાની બુદ્ધિથી કલ્પના કરીને ઉસૂત્રપ્રરૂપણા અને ઉન્માર્ગપ્રવર્તન કરવામાં આવે તો તેવું કરનાર સાધુ યથાશ્કેન્દ બને, સ્વેચ્છાચારી બને છે. આવું વ્યવહારસૂત્રભાષ્યમાં 'उस्सुत्तमायरंतो उस्सुत्तं चेव पन्नविमाणो । एसो उ अहाछंदो इच्छाच्छंदो य एगट्ठा ।।' (વ્યવહારસૂત્ર ભાષ્ય ભાગ-૩/૨૩૪, પૃષ્ઠ.૧૧૨) આ રીતે જણાવેલ છે. આ જ વાતને જરા જુદા શબ્દોમાં નિશીથભાષ્યમાં 'उस्सुत्तमणुवइटुं सच्छंदविगप्पियं अणणुवादी । પરતત્તિ વત્તે નિંતિને ય રૂમો હાઇડ્રો ||' (ગા.૩૪૯૨) આ રીતે જણાવેલ છે. આવી ગંભીર વાત તેમના જેવા આગમમર્મજ્ઞ તરીકે વિખ્યાત શું ભૂલી ગયા હશે ? પોતાની વ્યક્તિગત નબળાઈથી અશુદ્ધ-વિરાધનામય સાધનનો ઉપયોગ કરવો તે જુદી વાત છે. તે બાબતમાં હજુ અન્ય કોઈ યોગ્ય વિચાર કે આવશ્યક નિર્ણય અધિકૃત વ્યક્તિ દ્વારા કરી શકાય. જો કે વિરાધનામય સાધનનો ઉપયોગ પણ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે ઉચિત તો નથી જ. પરંતુ અનેક પ્રમાણથી સજીવ સિદ્ધ થતા વિદ્યુતપ્રકાશને અચિત્ત કહેવો તથા ઈલેક્ટ્રીસીટી આધારિત સાધનોના વપરાશને નિર્દોષ-નિરવદ્ય કહેવો અને બધાને તેમાં જોડાવાની સુવિધા કરી આપવી તે તો તેમના જેવા પંડિતસભાગાર માટે જરા ય ઉચિત ન જ કહેવાય. આટલું તો સુનિશ્ચિત જ છે. મિથ્યાત્વ કેટલું દૂર છે ? સજીવને નિર્જીવ માનવામાં પણ મિથ્યાત્વ લાગે તો પછી તેવી ( ૧૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166