Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
તેથી શાસ્ત્ર મુજબ ગરમી કે પ્રકાશ વગેરે અગ્નિકાય જીવનું એકાદ લક્ષણ જ્યાં જોવા મળતું હોય છતાં જેનું (દા.ત. શરીરની ગરમી, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ, તાવની ગરમી, સૂર્યપ્રકાશ, કળી ચૂનો, નરકનો અગ્નિ, ચંદ્રપ્રકાશ, મણિપ્રકાશ વગેરે) નામ લઈને શાસ્ત્ર તેને તેઉકાય જીવથી ભિન્નરૂપે અથવા અચિત્ત તરીકે જાહેર કરતું હોય તે પદાર્થો સચિત્ત તેઉકાયસ્વરૂપ ન હોય તે વાત બરાબર છે. પરંતુ તે સિવાયના જે જે પદાર્થોમાં ગરમી, પ્રકાશ આદિ તેઉકાય જીવના લક્ષણ જોવા મળે તેને તો સચિત્ત માનવામાં, સજીવ માનવામાં જ ડહાપણ છે. બાકી તો લક્ષણ દ્વારા લક્ષ્યભૂત પદાર્થનો પ્રામાણિક નિશ્ચય કરવાની શાસ્ત્રોક્ત વ્યવસ્થા જ ભાંગી પડે.
તેથી કેવળ વિજ્ઞાનને જ આગળ કરીને ઈલેક્ટ્રીસીટી વગેરેને અચિત્તરૂપે, નિર્જીવસ્વરૂપે જાહેર કરવાનું દુઃસાહસ છદ્મસ્થ જીવે ન કરવું જોઈએ. કારણ કે વિજ્ઞાન તો જગતના તમામ પદાર્થોને ઈલેક્ટ્રૉન-પ્રોટોન-ન્યુટ્રોન સ્વરૂપે જ જુએ છે. તો પછી જૈન એવા આપણે શું પૃથ્વી કે પાણીને પણ જીવ તરીકે નહિ માનીએ ? સાયન્સના દરેક ટુડન્ટ જાણે છે કે H,D = water. વિજ્ઞાનના સિદ્ધાન્ત મુજબ તો બીજમાંથી અંકુરો ફૂટવો, વનસ્પતિનું ઉગવું વગેરે પણ એક જાતની રાસાયણિક પ્રક્યિા જ છે. અરે ! પન્નવણા વગેરે આગમોમાં તેઉકાય જીવ તરીકે દર્શાવેલી આકાશીય વીજળી પણ, મોર્ડન સાયન્સના પ્રીન્સીપલ મુજબ, એક જાતનું ઊર્જાનું સ્પંદન જ છે ને ! આ રીતે જ જો સર્વત્ર વિચાર કરવામાં આવે તો જીવનું અસ્તિત્વ આપણે ક્યાં માનશું ? વિજ્ઞાનના પદાર્થથી કે સાયન્સના વર્તમાન પ્રિન્સીપલથી તો પાણી, અગ્નિ વગેરેમાં જીવત્વની સિદ્ધિ કદાપિ શક્ય જ નથી. માટે વિજ્ઞાનના સ્નાતકની અદાથી ઈલેક્ટ્રૉન-ઊર્જા-સ્પંદન વગેરે શબ્દો વાપરવાના બદલે ત્યાં આપણી પ્રાચીન-આગમિક પરિભાષા મુજબ “અગ્નિકાય” વગેરે શબ્દનો પ્રયોગ કરવો એ જ વધુ હિતાવહ છે.
(૫૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org