Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
વગેરેનો પ્રકાશ પ્રગટે છે. આવું નક્કી થાય છે. આમ સાક્ષાત્ કે પરંપરાએ જીવનો સહકાર માન્યા વિના તો ક્યાંય પણ પ્રકાશ આવી જ ન શકે. પ્રકાશ વગેરે શક્તિ આત્માના વિશેષ પ્રકારના પ્રયત્નથી પ્રગટે છે. એવું આચારાંગસૂત્રવૃત્તિમાં શ્રી શીલાંકાચાર્યજીએ સુનિશ્ચિત અનુમાન પ્રમાણ દ્વારા જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો પ્રવાશશિરનમીયતે નીવપ્રયો વિશેTTSSવિÍવિતા' (આ નિર્યુક્તિ. ગા.૧૧૯ વૃત્તિ).
સૂર્યપ્રકાશ ૧૦૦% નિર્જીવ છે, પણ તે જેમાંથી નીકળે છે તે તો સૂર્યમંડલગત સચિત્ત પૃથ્વીકાય જ છે- આમ પ્રથમ કર્મગ્રન્થની (ગાથા-૪૪) ટીકામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. સૂર્યમાંથી નીકળતો ઉષ્ણપ્રકાશ તો સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોના આતપનામકર્મના વિપાકોદયને આભારી છે. આપનામકર્મનો ઉદય સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોમાં જ હોય છે. આ વાત પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો “તપિવિશ્વ માનુમveી તેવુ પૃથિવીયિષ્યવ’ (૨૩ ૨/૫૪૦ વૃત્તિ).
જઠરાગ્નિ ભલે અચિત્ત હોય પણ માણસ તો જીવતો છે ને! મરેલા માણસમાં તો જઠરાગ્નિ નથી જ રહેતો ને ! જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી જ તે ખોરાકને પચાવી શકે છે. શરીરમાં જઠરાગ્નિની ઉષ્મા હોય કે તાવની ગરમી હોય, તે બન્ને જીવયુક્ત શરીરમાં જ હોય છે, મડદામાં નહિ. માટે તે જીવને જ આભારી છે. આ વાત આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ નીચે મુજબ જ ણાવી છે “ક્વરોખા નીવારોઝ નાતિવર્તતે, નીવાષ્ટતશરીરવાનુપાત્રેવ મવતિ' (અધ્યયન-૧ નિર્યુક્તિગાથા-૧૧૯
વૃત્તિ) અર્થાત્ તાવની ગરમી જીવના પ્રયત્ન વિના થતી નથી. - જીવના પ્રયત્નની તે અપેક્ષા રાખે જ છે. કારણ કે તે જીવયુક્ત
(૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org