Book Title: Vidyut Prakashni Sajivta Ange Vicharna
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust
View full book text
________________
સમસ્યાનું સમાધાન તો ઉભયપક્ષે સમાન જ આપી શકાય ને ! તથાવિધ શારીરિક રચના/ઝાલરયુક્ત ફેફસાતંત્રની વિશિષ્ટ ગોઠવણ મુજબ માછલી જીવવા માટે પાણીમાંથી ઑક્સિજનને છૂટો પાડીને ગ્રહણ કરે છે. જ્યારે માણસ ખુલ્લી હવામાંથી જ નાઈટ્રોજનમિશ્રિત ઑક્સિજન લઈને જીવે છે. તે જ પ્રમાણે મીણબત્તી વગેરે ખુલ્લા વાતાવરણમાંથી ઑક્સિજનના માધ્યમથી સળગતી રહે છે. જ્યારે બલ્બના ફિલામેંટમાં ઉત્પન્ન થતા પ્રકાશ (-બાદર તેઉકાય) માટે એમ કહી શકાય છે કે
(૨) બલ્બ-મર્ક્યુરીલેમ્પ વગેરેના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતા અગ્નિકાયના જીવો ખુલ્લી હવાના બદલે ઈલેકટ્રીસીટી જે વાયરમાંથી પસાર થાય છે તે વાયરના માધ્યમથી કે અન્ય કોઈ રીતે ત્યાં આવેલ વાયુ દ્વારા અથવા બલ્બમાં રહેલા વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પોતાની સચિત્તતા ટકાવી રાખવા, જીવનનિર્વાહ કરવા માટે બલ્બપ્રકાશ પોતાને પ્રાયોગ્ય વાયુને વિલક્ષણ પદ્ધતિએ મેળવી જ લે છે- આટલું તો સુનિશ્ચિત જ છે. અત્યંત તપેલા લોખંડના નક્કર-નિચ્છિદ્ર ગોળામાં રહેલો અગ્નિ પોતાને યોગ્ય વાયુને કોઈ પણ રીતે મેળવે જ છે ને !
(૩) તેમજ હીટરનો અગ્નિ, ઈલેક્ટ્રીક સગડીનો અગ્નિ વગેરે ખુલ્લા વાતાવરણ અને સ્થૂલ વેક્યુમ- બન્નેમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. આમ અગ્નિકાયના પણ સ્થૂલદૃષ્ટિએ આવા ત્રણ ભેદ તો સમજી શકાય તેમ છે જ. માટે બલ્બ તૂટી જતાં ફિલામેન્ટ બળી જવાના કારણે, ખુલ્લી હવામાં ઉત્પન્ન ન થઈ શકતા બલ્ગપ્રકાશને નિર્જીવ કહી ન શકાય.
અમુક લોકોની માન્યતા એવી છે કે ‘અગ્નિને સળગવા માટે ક્સિજન વાયુ જરૂરી છે. માટે જ સળગતી મીણબત્તી વગેરે
Jain Education International
૬ ૭
For Private & Personal Use Only
www.jainelibrary.org