Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ ૨૪ એ છે કે, બીમાર, રેગી-માંદાઓની માવજત અને સેવાશુશ્રુષા માટે મોટા પાયા પર હોસ્પીટલે ખેલવી; સાહમિવચ્છલ તો એ છે કે, બાઈઓના લાભ માટે પ્રસૂતિગૃહ ઉઘાડવાં, સાહસિવચ્છલ તે એ છે કે, સમાજની અંદર ઉચ્ચ કેળવણી અને ઉત્તમ શિક્ષાને પ્રચાર કરવાના હેતુઓ મહેતાં મહટાં વિદ્યાલય, વિદ્યાપીઠ, ગુરૂકુળ સ્થાપન કરવાં સાહમિવછલ તે એ છે કે, સમાજમાં ઉચ્ચ જ્ઞાન અને ચારિત્રથી વિભૂષિત એવા બલવાનું આત્માઓ તૈયાર કરવા માટે મહાન બ્રહ્મચર્યાશ્રમ ખોલવાં સાહમિવચ્છલ તો એ છે કે, વિધવા બહેનોનાં કલ્યાણ ખાતર પવિત્ર વનિતામંદિરે ઉઘાડવાં; આ બધાં સાહમિવચ્છલ છે. દ્રવ્યવ્યય કરવાના આ પરમપવિત્ર માગે છે. આવાં ક્ષેત્રામાં કરાતે દ્રવ્યવ્યય–આવાં ક્ષેત્રમાં વાવેલું ધન પુણ્યાનુબંધી પુણ્ય પેદા કરે છે. આજે સમાજની ક સ્થિતિને વિચાર કરતાં ઉપર કહ્યાં એવાં સાહમિવચ્છ કરવાની સખ્ત જરૂર છે. એક ટંક કે એ ટકે લાડવા પીરસી દેવામાં કંઇ સાહમિવચ્છલ સમાયું નથી. જમણવારમાં આવનારા કંઇ દાળ-રોટી વગરના હોતા નથી, કે તેમને જમાડવામાં પુણ્યના થોક બંધાય; અને એક–એ ટૂંક જમાત દેવાથી કંઈ દુખિયાનું દારિદ્રય પીટતું પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, lunatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90