________________
૩૪ વિષે પણ વિસ્મય કરવા જેવું હોય જ શું! અને લાખ જેજનના મેરૂપર્વત પર પડતા એ “અભિષેકજલ–પ્રપાત ” થી પણ કંઇ અનિષ્ટ શંકા કરવા જેવું હાય જ શું ! જ્યાં ચોસઠ સુરપતિઓ અસંખ્ય દેવ સહિત ઉપસ્થિત થયા હોય ત્યાં એ અનર્ગલ જળ–ધોધથી કંઈ ડર ખાવા જેવું છેજ નહિ. છાપાં વાંચનારાઓને ખબર હશે કે, અમેરિકાના ખેતીવાડના વિજ્ઞાનશાસ્ત્રીઓએ એક જાતને ગેસ ભરી એક એવી બત્તી તૈયાર કરી છે કે જેના વડે સૂર્યના જેટલે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય. અત્યારે આ દશા છે તે મેરુપર્વત પર તે ખુદ સૂર્ય—ચન્દ્ર પણ જ્યાં મેજૂદ હોય ત્યાં પછી
અભિષેક” ને અંગે વિસ્મય કે ભયને સ્થાન જે કયાંથી હોય? છતાં, આવાં “ચમત્કારભર્યો' વર્ણનેમાં ભગવાનનું મહાનું પ્રભુત્વ નથી સમાણું, એ તે સુજનેએ હદયમાં ધારી રાખવું જ ઘટે. અને આવાં વર્ણને ભગવાનના જીવન-ચરિત્રમાં આલેખાવાની પણ જરૂર નથી જણાતી.
મથાળા ” પુરતું તો લખાઈ ચુકયું. હવે પ્રસંગતઃ એ પણ અહીં કહી લઉં કે મહાવીર ભગવાને પેલા બ્રાહ્મણને અડધું વસ્ત્ર શા હિસાબે આપ્યું હશે! શું વસ્ત્ર પર તેમને મેહ હતો? શું અડધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com