SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ વિષે પણ વિસ્મય કરવા જેવું હોય જ શું! અને લાખ જેજનના મેરૂપર્વત પર પડતા એ “અભિષેકજલ–પ્રપાત ” થી પણ કંઇ અનિષ્ટ શંકા કરવા જેવું હાય જ શું ! જ્યાં ચોસઠ સુરપતિઓ અસંખ્ય દેવ સહિત ઉપસ્થિત થયા હોય ત્યાં એ અનર્ગલ જળ–ધોધથી કંઈ ડર ખાવા જેવું છેજ નહિ. છાપાં વાંચનારાઓને ખબર હશે કે, અમેરિકાના ખેતીવાડના વિજ્ઞાનશાસ્ત્રીઓએ એક જાતને ગેસ ભરી એક એવી બત્તી તૈયાર કરી છે કે જેના વડે સૂર્યના જેટલે પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય. અત્યારે આ દશા છે તે મેરુપર્વત પર તે ખુદ સૂર્ય—ચન્દ્ર પણ જ્યાં મેજૂદ હોય ત્યાં પછી અભિષેક” ને અંગે વિસ્મય કે ભયને સ્થાન જે કયાંથી હોય? છતાં, આવાં “ચમત્કારભર્યો' વર્ણનેમાં ભગવાનનું મહાનું પ્રભુત્વ નથી સમાણું, એ તે સુજનેએ હદયમાં ધારી રાખવું જ ઘટે. અને આવાં વર્ણને ભગવાનના જીવન-ચરિત્રમાં આલેખાવાની પણ જરૂર નથી જણાતી. મથાળા ” પુરતું તો લખાઈ ચુકયું. હવે પ્રસંગતઃ એ પણ અહીં કહી લઉં કે મહાવીર ભગવાને પેલા બ્રાહ્મણને અડધું વસ્ત્ર શા હિસાબે આપ્યું હશે! શું વસ્ત્ર પર તેમને મેહ હતો? શું અડધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burnatumaragyanbhandar.com
SR No.035305
Book TitleVichar Sanskriti
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1929
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy