________________
કથા-ગ્રન્થ કરતાં અંગાદિ મૌલિક ગ્રંથે
૧ આચારાંગના શ્રુતસ્કંધે બે છે. તેમાં પ્રથમ શ્રુતસ્કૂધના ૯ મા અધ્યયનમાં મહાવીર ભગવાનની તપસ્યા અને એમના પરીષહે તથા ઉપસર્ગોનું વર્ણન છે. બીજ મૃતસ્કન્ધની ત્રીજી ચૂલિકામાં ભગવાનના જીવનની મુખ્ય ઘટનાઓની સંક્ષિપ્ત સૂચી આપી છે, જેમાં ભગવાનને * ગર્ભાપહાર' પણ બતાવ્યો છે.
* આવશ્યક-નિર્યુકિતમાં ભદ્રબાહુ સ્વામીએ અને ભાષ્યમાં જિનભદ્રગણિજીએ મહાવીર-જીવન અ પ્યું છે.
ભદ્રબાહુને સ્વર્ગવાસ વર–નિર્વાણાત ૧૦ વર્ષે મનાય છે.
કલ્પસૂત્રમાં અધિકાંશ એજ બીના છે જે આચારાંગમાં નોંધાયેલી છે. આવશ્યશૂર્ણિમાં એથી સવિસ્તર વર્ણન છે. | વિક્રમની ૯મી શતાબ્દી લગભગ લીલાંકરાચાર્ય થયા. જેમણે “આચારાંગ’ પર ટીકા લખી છે, તેમણે પ્રાકૃત ગદ્યમાં “મહાપુરિસચરિય રચ્યું છે, જેમાં “નિર્યુકિત” આદિના આધારે, વિસ્તારથી મહાવીર-જીવન વર્ણવ્યું છે.
આવશ્યક-નિયંતિ–ભાષ્ય પર હરિભદ્રસૂરિકૃત સંસ્કૃતપ્રાકૃતમયી ટીકા છે. એમાં ભગવાનની જીવન–ઘટનાઓનું વર્ણન છે.
કર્ણદેવ' રાજાના સમયમાં વિ. સં. ૧૧૪૧ માં નેમિચન્દ્રસૂરિએ રચેલ મહાવીરચરિત્ર પ્રાતિમાં લગભગ ત્રણ હજાર લોક પ્રમાણ છે; જે છપાયેલ છે ". Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com