________________
આજે અમે લલકારીને જૈન સમાજને કહી. રહ્યા છીએ કે નવાં દેરાસરે, સંઘ-યાત્રાઓ, જમણવારો વગેરેના કરતાં વિજ્ઞાનશાળાઓ, વિધાપીઠે. ગુરૂકુલો, બ્રહાચર્યાશ્રમ અને બલાધાયક સંસ્થાએની વધારે સખ્ત જરૂર છે. જે મેહ જિનમન્દિરાનાં ઉત્તુંગ શિખરો પર લહરાતી ધજાઓ જેવાને આપણને લાગે છે, તે જ મેહ, વિદ્યામંદિરનાં ગગનચુમ્બી શિખર પર જિનશાસનની પતાકાઓ ફરકતી જેવાને આપણી અંદર ઉત્પન્ન થવાની-કર. વાની જરૂર છે. સમાજ સી રહ્યો છે, કેમને ઘાણ વળવા બેઠે છે, નબળાઈ અને કાયરતાએ જૈનોને વેવલા વાણિયા બનાવી મૂકયા છે અને અજ્ઞાન તથા બેવકૂફીભરેલા રિવાજથી ધર્મની ધૂળધાણી થઈ રહી છે, તેવા વિષમ સમયમાં આંખો મીંચીને લીટે લીટે ચાલનારા સમાજને અમારે ગર્જના કરીને કહેવું પડે છે કે, તમારામાં સમયને ઓળખવાને થોડે પણ બુદ્ધિ-શેષ રહ્યો હોય તે તમારી અન્દર છવાયલાં કાયરતાનાં જાળાં ખંખેરી નાંખવા જેશભેર પ્રયત્ન ઉઠાઓ ! વિદ્યા, શિક્ષણ અને શક્તિનાં પ્રભાશાળી અને પવિત્ર આશ્રમે ઠેક ઠેકાણે સ્થાપન કરે! અમારે યુવક–વર્ગને પણ ઉત્તેજિત કરવા સંભલાવવું પડે છે કે સમાજમાં લ્હાય લાગી હોય અને ધર્મની અધોગતિ થઈ રહી હોય તેવે વખતે તમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, lounatumaragyanbhandar.com