Book Title: Vichar Sanskriti
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 86
________________ ૮૧ અને ભક્તવૃત્તિને લાભ લઈને તેની દીક્ષા સધાયેલી છે. ભવદત્ત અગાઉથી જ બીજા સાધુ સાથેની સ્પર્ધામાં– બીજા સાધુએ કરેલા વ્યંગમય ટેણું પર પોતાના ભાઈને મૂંડવાનું બીડું ઝડપ્યું હતું. ભવદત્ત મહારાજ ભવદેવને ખેંચવાના ઈરાદાથી જ્યારે તેના ઘરે આવે છે, ત્યારે ત્યાં ભવદેવને લગ્નોત્સવ ચાલી રહેલ જુએ છે. મહારાજને જોતાં સગાં-સંબંધીઓ એકદમ તેમને પગે લાગવા દો આવે છે. અને પછી તેઓ તેમને આહાર વહેરાવે છે. ભવદેવ પણ પિતાની વધુને શણગારતો મૂકીને ભવદત્તની પાસે આવે છે અને તેમના પગમાં પડે છે. પગે લાગીને - ઉઠતાંની સાથે જ તેના હાથમાં મહારાજ પોતાનું ઘીનું ભાજન પકડાવે છે, અને પિતાની સાથે ચાલવા તેને સંકેત છે. સ્વજન-વર્ગ તો મહારાજની પછવાડે થડે-ઘણે દૂર સુધી જઈને પાછા વળે છે, પણ ભ્રાતૃભક્ત ભવદેવથી પાછું વળાતું નથી. મુનિ મહારાજ તેના હાથમાંથી ઘતભાજન લે નહિ, અને એ ભાઈ પણ તેમને તેમને જે સેંપીને વિદાય થઈ શકે નહિ. આખર તે બને ગુરૂ મહારાજની પાસે પહોંચે છે. ફુલકે વાંકા હોઠ કરીને વ્યંગ્યમાં મશ્કરી કરતાં કહે છે કે, મુનિજી પિતાનું વેણુ રાખવા દિવ્યષધારી એવા પિતાના ભાઈને દીક્ષા આપવા સારૂ ઠીક લઈ આવ્યા છે ! સૂરિજી ભવદત્તને Shree Sudharmaswami Gyanbhandar-Umara, kurnatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90