Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા વીતરાગ દશાને પ્રાપ્ત કરીને સ્વરૂપમાં અખંડ સ્થિરતા પ્રાપ્ત કરવી, તે સાધકનું અંતિમ લક્ષ્ય છે. તે લક્ષ્ય સિદ્ધિ માટે પરુષાર્થ કરતો સાધક પૂર્વકત કર્મના ઉદય ભાવને આધીન થઈને કેટલી ય વાર ભૂલો કરે, પાપદોષનું સેવન કરે, કેટલીય વાર ચડે અને પડે, ક્યારેક હતાશ અને નિરાશ થઈ જાય, ત્યારે આચાર્ય તેને છેદ સૂત્રના માધ્યમથી સાંત્વન આપે છે. તે સાધક ! તે ગમે તે દોષનું સેવન કર્યું હોય, તેનો કોઈ વાંધો નહીં. વર્તમાને જો તારી આત્મવિશુદ્ધિની તીવ્રતમ તમન્ના હોય, તો તેનો માર્ગ ચોક્કસ ઉપલબ્ધ છે. જિનશાસનમાં પાપી વ્યક્તિને પવિત્ર બનાવવાનો અનુપમ માર્ગ છે, તે માર્ગ છે પ્રાયશ્ચિત્ત અને તે પ્રાયશ્ચિત્તનો માર્ગ છેદ સૂત્ર દ્વારા પ્રાપ્ત થાય છે.
શિષ્યોની સમગ્ર સાધના ગુરુના સાંનિધ્યમાં અને ગુરુની આજ્ઞાપૂર્વક જ થાય છે, તેથી શિષ્યના દોષ સેવન માટે પ્રાયશ્ચિત્ત પ્રદાનનો અધિકાર સંપૂર્ણપણે ગુરુનો જ હોય છે. ક્યા દોષનું ક્યું અને કેટલું પ્રાયશ્ચિત્ત લેવું, તે વિષયમાં શિષ્યના તર્ક-વિતર્ક નિરર્થક છે. કેવળ સરળભાવે યથાતથ્ય આલોચના કરવી, તે જ શિષ્યનું કર્તવ્ય છે. પ્રાયશ્ચિત્તનો સર્વ અધિકાર એક માત્ર આચાર્યનો કે ગુરુનો જ હોય છે, તેથી એક દષ્ટિકોણથી પ્રાયશ્ચિત્ત પ્રધાન શાસ્ત્રોનું સંપાદન કરવું, તે અમારા વિષય બહારની વસ્તુ છે. તેમ છતાં ગુર્વાજ્ઞાએ જે જવાબદારી વહન કરવાની હતી. તે કાર્યનો પ્રારંભ કર્યો. પૂર્વ પ્રકાશિત નિર્યુક્તિ, ટીકા તેમજ વિવેચનોનું વાંચન કર્યું.
સાધક જીવનની આચાર શુદ્ધિમાં સહાયક શાસ્ત્રોનું સરળ ગુજરાતી ભાષામાં પ્રકાશન થાય, તો જ સર્વ કોટિના સાધકો સમાચારીની પ્રત્યેક ક્રિયાનું મહત્ત્વ સમજે અને તેનું પાલન ન કરવાથી પ્રાપ્ત થતાં પ્રાયશ્ચિત્તના વિષયને જાણીને સમાચારીનું અપ્રમત્તપણે પાલન કરી શકે, તે દષ્ટિકોણથી શાસ્ત્રનું સંપાદન કર્યું છે.
વર્તમાને શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રમાં આઠમી દશા ‘પર્યુષણા કલ્પ'માં ભગવાન મહાવીર સ્વામીના જન્મ આદિ પાંચ વિશિષ્ટ પ્રસંગોના નક્ષત્રોનું વર્ણન જ ઉપલબ્ધ થાય છે. નિર્યુક્તિમાં આ દશામાં પર્યુષણા કલ્પની સ્પષ્ટતા સાથે સાધુ સમાચારીનું વિસ્તૃત વર્ણન પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત ગ્રંથમાં નિર્યુક્તિના આધારે સમાચારીનો સંક્ષિપ્ત સાર વિવેચનમાં આપ્યો છે.
દશાશ્રુતસ્કંધની દરેક દશામાં પ્રારંભમાં તે દશાના વિષયની પૃચ્છા સંબંધી
53
.