Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 350
________________ ૨૭૮ | શ્રીવ્યવહાર સૂત્ર પ્રતિસેવન કરે તો તેને તે કારણથી જીવન પર્યત આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. | १७ आयरिय-उवज्झाए य आयरिय-उवज्झायत्तं णिक्खिवित्ता मेहुणं पडिसेवेज्जा, तिण्णि संवच्छराणि तस्स तप्पत्तियं णो कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । तिहिं संवच्छरेहिं वीइक्कंतेहिं चउत्थगंसि संवच्छरंसि पट्ठियसि ठियस्स उवसंतस्स, उवरयस्स पडिविरयस्स णिव्विगारस्स, एवं से कप्पइ आयरियत्तं वा जाव गणावच्छेइयत्तं वा उद्दिसित्तए वा धारेत्तए वा । ભાવાર્થ :- કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાના આચાર્ય-ઉપાધ્યાય પદને છોડીને મૈથુનનું પ્રતિસેવન કરે તો તેને તે કારણથી ત્રણ વર્ષ પર્યત આચાર્ય ભાવતું ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કલ્પતા નથી. ત્રણ વર્ષ વ્યતીત થઈ ગયા પછી ચોથા વર્ષમાં પ્રવેશ કરે ત્યારે જો તે સ્થિર પરિણામી, વેદોદયથી ઉપશાંત, ઉપરા, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ ગયા હોય, તો તેને આચાર્ય થાવત્ ગણાવચ્છેદક સુધીના કોઈપણ પદ આપવા અથવા ધારણ કરવા કહ્યું છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આચાર્ય-ઉપાધ્યાય આદિ પદ પ્રદાન કરવા માટે ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન છે. સાધુ પંચમહાવ્રતનું પૂર્ણપણે પાલન કરે છે, તેમ છતાં સર્વ વ્રતોમાં બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રધાનતા છે. શ્રી નિશીથ સૂત્રમાં બ્રહ્મચર્ય મહાવ્રતનું ખંડન કરનાર સાધુને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્તનું વિધાન છે અને પ્રસ્તુત સૂત્રોમાં બ્રહ્મચર્યનું ખંડન કરનાર સાધુને તે પ્રાયશ્ચિત્ત ઉપરાંત આચાર્યાદિ પદ પ્રદાનનો નિષેધ કર્યો છે. સૂત્રકારે તેના ઉત્સર્ગ અને અપવાદ માર્ગનું કથન કર્યું છે. આચાર્ય, ઉપાધ્યાય અથવા ગણાવચ્છેદક આદિ ગચ્છમાં તેમજ સમાજમાં પ્રતિષ્ઠિત હોય છે, તેઓ બીજા સાધુ-સાધ્વીઓ માટે આદર્શરૂપ હોય છે. પદ પર પ્રતિષ્ઠિત હોવાથી તેના પર જિનશાસનનું વિશેષ ઉત્તરદાયિત્વ હોય છે. આચાર્ય આદિ પદનો સ્વીકાર કરનાર સાધુમાં અન્ય ગુણ સંપન્નતાની સાથે નૈતિક મર્યાદાનું પાલન કરવું પણ જરૂરી હોય છે. આચાર્ય, ઉપાધ્યાય અને ગણાવચ્છેદકના કથનથી શેષ પ્રવર્તક, પ્રવર્તિની આદિ પદો પણ ઉપલક્ષણથી ગ્રહણ થઈ જાય છે. પદવીધરો માટે મૈથુનસેવન તે અક્ષમ્ય અપરાધ છે, તેથી તેઓ જીવન પર્યત કોઈપણ પદને માટે અયોગ્ય બની જાય છે અને તે પદને ધારણ કરી શકતા નથી. તેને હંમેશાં અન્ય આચાર્ય આદિની નિશ્રામાં રહીને સંયમનું પાલન કરવું પડે છે. કોઈ પદવીધર જાણે કે હું બ્રહ્મચર્યનું પાલન કરવામાં અસમર્થ છું ત્યારે તે પોતાના અસામર્થ્યને પ્રગટ કરીને અથવા સામાન્ય રૂપે પોતાની સંયમપાલનની અક્ષમતા પ્રગટ કરીને પદત્યાગ કરે અને ત્યારપછી મૈથુનસેવન કરે, તો પણ તેને ત્રણ વર્ષ સુધી પદ પ્રદાન કરાતું નથી. તે સમય દરમ્યાન તે વ્રતની

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462