Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૧૦
| ૩૫ ]
વાસણને જેનો લેપ ન લાગે, તેવા લેપ રહિત આહારાદિ ગ્રહણ કરવા. (૮)ગિરિરા વહ સમજી...અન્ય ભિક્ષુ, શ્રમણ આદિજ્યાં ઊભા હોય, તે ઘરમાં પ્રતિમાધારીએ ભિક્ષા માટે (ગોચરી) જવું ન જોઈએ. (૯) ખટ્ટ સે સ...– એક વ્યક્તિની માલિકીનો આહાર હોય તેમાંથી લેવો, વધારે વ્યક્તિઓની માલિકીના આહારમાંથી ન લેવું. (૧૦) નો મુળી - કોઈ પણ ગર્ભવતી સ્ત્રી પાસેથી ભિક્ષા ન લેવી. (૧૧) જે વારંવછા- જે આહાર નાના બાળકો માટે બનાવેલો હોય તેમાંથી ભિક્ષા ન લેવી. (૧૨) નો હાર રેન્જની - જે સ્ત્રી બાળકને દૂધ પીવડાવતી હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. (૧૩) પર્વ અંતો જિગ્યા - ડેલીની અંદર એક પગ અને ડેલીની બહાર એક પગ રાખીને બેઠેલા હોય અથવા ઊભા હોય તેવા દાતા પાસેથી ભિક્ષા ગ્રહણ કરવી. ઘરની ડેલી સિવાય અન્ય કોઈ કયાંય પણ ઊભા હોય તેની પાસેથી ભિક્ષા ન લેવી. તે જ રીતે એષણાના ૪ર દોષ રહિત નિર્દોષ આહાર ગ્રહણ કરવો.
આ બંને ચંદ્રપ્રતિમાઓની આરાધના એક એક મહિનામાં કરવામાં આવે છે. ઉક્તનિયમો અનુસાર જો આહાર મળે તો ગ્રહણ કરે, ન મળે તો તે દિવસે ઉપવાસ કરે. પ્રતિમધારી સાધુ ભિક્ષાના સમયે ઘરની સંખ્યા નક્કી કરી લે છે અને તેટલા જ ઘરોમાં ભિક્ષા માટે ભ્રમણ કરે છે. આહારાદિ ન મળે તો ઉત્કૃષ્ટ એક મહિનાની તપશ્ચર્યા પણ થઈ જાય છે પરંતુ તેઓ કોઈ પણ પ્રકારના અપવાદનું સેવન તે કરતા નથી. આ રીતે વિધિપૂર્વક આરાધના કરનાર આરાધક થાય છે. ચંદ્ર પ્રતિમાઓમાં દત્તી સંખ્યા :યવમધ્ય ચંદ્ર પ્રતિમા
વજ મધ્ય ચંદ્ર પ્રતિમા તિથિ દત્તી સંખ્યા
તિથિ
દત્તી સંખ્યા પ્રારંભ શુક્લપક્ષ –એકમ
પ્રારંભ કૃષ્ણપક્ષ – એકમ બીજ
બીજ ત્રીજ
ત્રીજ
ચોથ
ચોથ પાંચમ
પાંચમ છ
સાતમ
સાતમ
આઠમ નોમ દસમ અગિયારસ
આઠમ નોમ દસમ અગિયારસ બારસ તેરસ ચૌદસ પૂનમ
બારસ
તેરસ
ચૌદસ
અમાવસ્યા