Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-૨
૨૧
दुमासं वा तिमासं वा चाउमासं वा पंचमासं वा छम्मासं वा वत्थए । अण्णमण्णं संभुंजंति, अण्णमण्णं णो संभुंजंति मासं ते, तओ पच्छा सव्वे वि एगयओ संभुजंति ।
ભાવાર્થ :- અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ કે છ, મહિના સુધી સાથે રહેવા ઇચ્છે, તો પારિહારિક સાધુ સાથે પારિહારિક સાધુ અને અપારિહારિકસાધુ સાથે અપારિહારિક સાધુ રહી શકે છે, સાથે બેસીને આહાર ગ્રહણ કરી શકે છે. પારિહારિક સાધુ અપારિહારિક સાધુ સાથે બેસી શકતા નથી અને સાથે બેસીને ભોજન કરી શકતા નથી. (છ માસનું પારિહારિક તપ કરનારા પારિહારિક સાધુ છ માસનું પ્રાયશ્ચિત્ત તપ પૂર્ણ થયા પછી) એક માસ પારણાના વ્યતીત થયા
પછી સાથે બેસી આહાર કરી શકે છે.
२७ परिहारकप्पट्ठियस्स भिक्खुस्स णो कप्पर असणं वा जाव साइमं वा दाउं वा अणुप्पदाडं वा । थेरा य णं वएज्जा- इमं ता अज्जो ! तुमं एएसिं देहि अणुप्पदेहि वा ? एवं से कप्पइ दाउ वा अणुप्पदाडं वा । कप्पर से लेवं अणुजाणावेत्तए, अणुजाणह भंते ! लेवाए ? एवं से कप्पइ लेवं समासेवित्तए । ભાવાર્થ :- અપારિહારિક સાધુએ, પારિહારિક સાધુને અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ, આ ચારે પ્રકારનો આહાર આપવો અથવા નિમંત્રણ આપવું કલ્પતું નથી. જો સ્થવિર કહે કે હે આર્ય ! તમે આ આહાર પારિહારિક સાધુઓને આપો અથવા નિયંત્રણ કરો, તો અપારિહારિક સાધુએ પારિહારિક સાધુને આહાર આપવો અથવા નિમંત્રણ કરવું કલ્પે છે.
પરિહારકલ્પસ્થિત સાધુ જો લેપ (ઘી આદિ વિગય) લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાપૂર્વક લઈ શકે છે. પારિહારિક સાધુ સ્થવિર ભગવાનને પૂછે કે હે ભગવન ! મને ઘી આદિ વિગય લેવાની આજ્ઞા પ્રદાન કરશો ? અને સ્થવિર આજ્ઞા આપે, તો તેને ઘી આદિ વિગયનું સેવન કરવું કલ્પે છે.
२८ परिहारकप्पट्ठिए भिक्खू सएणं पडिग्गहेणं बहिया अप्पणो वेयावडियाए गच्छेज्जा । थेरा य णं वएज्जा- पडिग्गाहेहि अज्जो ! अहं पि भोक्खामि वा पाहामि वा । एवं से कप्पइ पडिग्गाहेत्तए ।
तत्थ से णो कप्पइ अपरिहारिएणं परिहारियस्स पडिग्गहंसि असणं वा जाव साइमं वा भोत्तए वा पायए वा, कप्पइ से सयंसि वा पडिग्गहंसि सयंसि वा पलासगंसि, सयंसि वा कमण्डलंसि, सयंसि वा खुब्भगंसि, पाणिसि वा उद्धट्टु-उद्धट्टु भोत्तए वा पायए वा । एस कप्पो अपरिहारियस्स परिहारियाओ। ભાવાર્થ :- પરિહારકલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્ર ગ્રહણ કરી પોતાના માટે આહાર લેવા જાય અને તેને જતાં જોઈને જો સ્થવિર કહે કે હે આર્ય ! મારા યોગ્ય આહાર પાણી પણ લાવજો, હું તે વાપરીશ એ પ્રમાણે કહે તો તેને સ્થવિરને માટે આહાર લાવવો કલ્પે છે.
અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં આહાર પાણી આદિ વાપરવા કલ્પતા નથી,