Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૨૧૮ ]
શ્રી બ્રહ૮૫ સૂત્ર
ઉદ્દેશક-૬ પ્રાકથન છRORWARDRORDROR
કે આ ઉદ્દેશકમાં સાધુ-સાધ્વીને છ પ્રકારના નબોલવા યોગ્ય વચનો, વિજાતીય સ્પર્શવિષયક અપવાદ માર્ગ, સંયમ નાશક છ દોષો, છ પ્રકારની કલ્પ મર્યાદા આદિ મુખ્યત્વે ૭ ના અંકથી સંબંધિત વિષય વર્ણન છે. ક સાધુ-સાધ્વીને સત્ય મહાવ્રતની શુદ્ધિ માટે અલીક, ખિંસિત, કઠોર આદિ છ પ્રકારના અકલ્પનીય વચન ન બોલવા જોઈએ. કે કોઈ પણ સાધુ બીજા સાધુ ઉપર પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન આદિ દોષ સેવનનો આક્ષેપ મૂકે અને જો તેને પ્રમાણથી સિદ્ધ ન કરી શકે તો તે સાધુ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. * પરિસ્થિતિ વશ સાધુ-સાધ્વી એકબીજાના પગમાંથી કાંટા આદિ કાઢી શકે છે અને આંખમાં પડેલા રજ આદિ પણ કાઢી શકે છે. કે નદીમાં ડુબતા આદિ સૂત્રોક્ત વિશેષ પરિસ્થિતિઓમાં તેને આધાર આપનાર અન્ય સાધ્વી કે બહેનો ન હોય, તો સાધુ, સાધ્વીને સહારો આપી શકે છે અને સેવા કરી શકે છે. તે જ રીતે સાધ્વી સાધુને ટેકો આપી શકે છે. * સાધુ-સાધ્વી કુચેષ્ટા, વાચાળતા, ચક્ષુલોલુપતા, ચિડીયાપણું, અતિલોભ અને નિદાન, આ સંયમનાશક છ દોષોને જાણીને તેનો પરિત્યાગ કરે. * જિનકલ્પ, સ્થવિરકલ્પ આદિ સંયમપાલન કરનારની ભિન્ન-ભિન સાધનાની અપેક્ષાએ છે પ્રકારની આચારમર્યાદા હોય છે.