Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી બૃહત્કલ્પ સૂત્ર
બળત્ય આપાદાનાËિ રોયહિં.... પ્રાણઘાતક ઉગ્રરોગ આદિ વિશિષ્ટ પરિસ્થિતિમાં સૂત્રોક્ત મર્યાદાનો આગાર—છૂટ હોય છે.
સામાન્ય રીતે સાધુ-સાધ્વી આહાર-પાણી કે ઔષધ રાત્રિવાસ રાખતા નથી પરંતુ કોઈ અનિવાર્ય સંયોગોમાં ગીતાર્થ સાધુની આજ્ઞા પૂર્વક રાત્રે રાખી શકે છે અને વિવેક પૂર્વક તેનો ઉપયોગ કરી શકે છે. રાત્રે રાખેલા દ્રવ્યોને દિવસે ખાવા-પીવાના ઉપયોગમાં લઈ શકે છે અને જરૂર પડે તો રાત્રે તેનો લેપ વગેરે કરી શકે છે. પદાર્થોને રાત્રિવાસ રાખવા તથા તેનો ઉપયોગ કરવાની વિધિનું વિસ્તૃત વર્ણન ભાષ્યમાં છે. માલિપિત્તપ્–આલેપન ઃ– એકવાર લેપ કરવો અથવા શરીરમાં જલન આદિ થવાથી સર્વાંગે લેપ કરવો. વિલિપિત્ત-વિલેપન :– વારંવાર લેપ કરવો અથવા મસ્તક આદિ વિશિષ્ટ અંગે લેપ કરવો.
૧૬
સાધુ–સાધ્વીઓએ સૌંદર્ય વૃદ્ધિ માટે કોઈ પ્રકારના આલેપન, વિલેપનનો પ્રયોગ કરવો કલ્પતો નથી; ફક્ત રોગાદિની ઉપશાંતિ માટે લેપ્ટ પદાર્થોનો પ્રયોગ કરી શકે છે.
પારિહારિક સાધુનું દોષ-સેવન તથા પ્રાયશ્ચિત્ત :
४९ परिहारकप्पट्ठिए भिक्खू बहिया थेराणं वेयावडियाए गच्छेज्जा, से य आहच्च अइक्कमेज्जा, तं च थेरा जाणेज्जा अप्पणो आगमेणं अण्णेसिं वा अंतिए सोच्चा, तओ पच्छा तस्स अहालहुसए णाम ववहारे पट्ठवियव्वे सिया । ભાવાર્થ:પરિહારકલ્પસ્થિત સાધુ જો સ્થવિરોની સેવાને માટે ક્યાંય બહાર જાય અને કદાચિત પરિહારકલ્પમાં કોઈ દોષ સેવન કરે, આ વૃત્તાંત સ્થવિર સાધુ પોતાના જ્ઞાનથી અથવા અન્ય પાસેથી સાંભળીને જાણે તો વૈયાવચ્ચથી નિવૃત્ત થયા પછી સ્થવિર સાધુએ તેને અત્યંત અલ્પ પ્રસ્થાપના-પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પારિહારિક સાધુએ વિશિષ્ટ પરિસ્થિતિમાં કરેલા દોષ સેવનના પ્રાયશ્ચિત્તનું કથન છે. સૂત્રગત વૈયાવૃત્ય પદના ઉપલક્ષણથી અન્ય આવશ્યક કાર્ય પણ ગ્રહણ કરાય છે. આચાર્ય અથવા ગણપ્રમુખ આદિ પરિહારતપ વહન કરનાર સાધુને અન્ય સાધુની વૈયાવચ્ચ માટે અથવા અન્યદાર્શનિકો સાથે શાસ્ત્રાર્થ કરવા અન્યત્ર મોકલે અથવા તે સ્વયં અનિવાર્ય કારણોથી અન્યત્ર જાય અને ત્યાં તેના પરિહારતપની મર્યાદાનું અતિક્રમણ થઈ જાય ત્યારે તેના અતિક્રમણને આચાર્ય આદિ સ્વયં પોતાના જ્ઞાનબળથી અથવા અન્ય કોઈ દ્વારા જાણે તો તેને અતિઅલ્પ પ્રાયશ્ચિત્ત આપે કારણ કે તેનું પરિહારતપ વૈયાવચ્ચ અથવા શાસ્ત્રાર્થ આદિ વિશેષ કારણોથી ખંડિત થયું છે.
પૌષ્ટિક ભોજનની પ્રાપ્તિ પછી ગોચરી જવાનો વિવેક ઃ
|५० णिग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविट्ठाए अण्णयरे पुलागभत्ते पडिग्गाहिए सिया, सा य संथरेज्जा, कप्पइ से तद्दिवसं तेणेव भत्तट्टेणं पज्जोसवेत्तए, जो से कप्पइ दोच्चं पि गाहावइकुलं पिंडवायपडियाए पविसित्तए। सा य णो संथरेज्जा, एवं से कप्पइ दोच्चं पि गाहावइकुलं पिंडवायपडियाए