Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૭૮ |
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
દસમી પ્રતિમામાં સાધક ગોહાસને, વીરાસને કે આમ્રકુબ્બાસને સ્થિત થઈને કાયોત્સર્ગ કરે છે. દસમી પ્રતિમાના ત્રણે આસનમાં પ્રાયઃ શરીર જમીનથી અદ્ધર રહે છે. (૧) ગોકુહાસન- આ આસનમાં સાધક ઘૂંટણ જમીનથી અદ્ધર રહે તેમ પગના પંજા ઉપર બેસીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે.
પી
.
ગોદુહાસન (૨) વીરાસન - આ આસનમાં સાધક ખુરશી ઉપર બેઠેલા મનુષ્યની નીચેથી ખુરશી કાઢી લીધા પછી જે સ્થિતિ હોય તે રીતે જમીન ઉપર બંને પગ રાખીને શરીર જમીનથી અદ્ધર રહે તેમ સ્થિત થઈને કાયોત્સર્ગ કરે છે.
વીરાસન (૩) આ પ્રકાસન(અંત કબ્બાસન)- આ આસનમાં સાધક બંને પગના પંજા ઉપર ઊભા રહી, ઘૂંટણથી પગને વાંકાવાળી-સીધા ઊભા રહીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. જેમ કેરી ગોળ અને નીચેથી કાંઈક વળેલી હોય છે તેમ આ આસનમાં પગ થોડા વળેલા રહે છે. એક દિવસ-રાત્રિની (અગિયારમી) ભિક્ષુપ્રતિમા - २५ एवं अहोराइंदियावि । णवरं-छट्टेणं भत्तेणं अपाणएणं बहिया गामस्स वा जाव रायहाणिस्स वा ईसिं पब्भारगएणं काएणं दो वि पाए साह?