Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
દશા-૮
८३
(૪) દીક્ષા– વર્ધમાન કુમાર(મહાવીર સ્વામી) ૩૦ વર્ષની ઉંમરે માગસર વદ–૧૦(ગુજરાતી કારતક વદ–૧૦)ના દિવસના ચોથા પ્રહરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવ્રુજિત થયા.
(૫) કેવળજ્ઞાન– સંયમ સ્વીકાર કર્યા પછી ૧૨ા વર્ષનો સાધના કાળ પૂર્ણ થતાં ઋજુવાલિકા નદીના તટે, શ્યામક ગાથાપતિના ક્ષેત્રમાં, શાલવૃક્ષની નીચે, છઠ તપયુક્ત, ગોદુહાસને ધ્યાનસ્થ પ્રભુને વૈશાખ સુદ–૧૦ના દિવસના ચોથા પ્રહરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રના યોગમાં કેવળજ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત થયું. (૬) નિર્વાણ– કેવળી પર્યાયમાં ૩૦ વર્ષ પછી, સંપૂર્ણ આયુષ્યના સાડા બોતેર(૭રા) વર્ષ વ્યતીત થયા ત્યારે અપાપાપુરી(પાવાપુરી)માં હસ્તિપાલ રાજાની સભામાં, છઠતપયુક્ત ભગવાન કારતક વદ-અમાસ(ગુજરાતી આસો વદ-અમાસ)ના મધ્યરાત્રિએ સ્વાતિ નક્ષત્રના યોગમાં નિર્વાણ પામ્યા.
અહીં ભગવાનના જીવનની મુખ્યતમ ઘટનાનો ઉલ્લેખ માત્ર છે. ભગવાનના જીવનનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર–બીજા શ્રુતસ્કંધના પંદરમા અધ્યયનમાં વર્ણિત છે.
નિર્યુક્તિની ગાથા જોતાં જણાય છે કે આ દશાનું જે સ્વરૂપ નિર્યુક્તિકારની સામે હશે, તે આજે ઉપલબ્ધ નથી. આ દશાની ૭ નિર્યુક્તિ ગાથા ઉપલબ્ધ છે. તેમાં પ્રારંભની ગાથાઓમાં પર્યુષણા (કલ્પ)ની વ્યાખ્યા છે અને તત્પશ્ચાત્ સંયમ સમાચારીનુ વર્ણન છે. ચાતુર્માસના ચાર મહિના સાધુ-સાધ્વી એક સ્થાને રહે છે, તે ચાતુર્માસકલ્પને પર્યુષણાકલ્પ, વર્ષાવાસકલ્પાદિ કહે છે. તથા ચૂર્ણિકાર નિર્યુક્તિકારે તેની વિભિન્ન વ્યાખ્યાઓ કરી છે, યથા–
परिवसणा पज्जुसणा पज्जोसमणा य वासवासो य । ૧૪મ સમોસરળ તિ ય વગા નેકો દેદા ॥ નિયુક્તિ ગાથા-પ
(૬) ગસ્થ પત્તારિ માલા પરિવસંતિત્તિ પરિવસળા । એક જ સ્થાનમાં ચાર મહિના રહેવું, તે પરિવસણા. (૨) સવ્વાસુ વિસાસુ ન પદ્મિમંતીતિ પન્નુસળા । સર્વ દિશાઓમાં (ચારે બાજુ) પરિભ્રમણ ન કરવું તે પોસણા. (ર) પર સવ્વતો ભાવે, સ નિવાસે સ પખ્તોલમળા । સર્વથા ભાવે એક સ્થાનમાં (આત્મભાવમાં) રહેવું તે પોસમણા. (૪) વરિયાપુ પત્તારિ માલા પ્રાથ અઘ્ધતીતિ વાસાવાસો । વર્ષાકાળના ચાર મહિના માટે એક સ્થાનમાં વાસ કરવો, રહેવું, તે વર્ષાવાસ. (૫) નિબાયાતેળ પાસે ચેવ વાસપાત્રમાં વિત્ત પવિસતીતિ પદ્મમસમોસરળ । વરસાદના સમયે નિર્વ્યાઘાત–વ્યાઘાત ન થાય તેવા ક્ષેત્રમાં પ્રવેશ કરીને રહેવું, તે પ્રથમ સમવસરણ. (૬) ડુનો एक्केक्कं मासं खेत्तोग्गहो भवति वरिसासु चत्तारि मासा एग खेत्तोग्गहो भवतित्ति जिट्ठोग्गहो। ૠતુબદ્ધકાળ અર્થાત્ શેષકાળમાં એક-એક માસ પર્યંત ક્ષેત્રનું ગ્રહણ (ક્ષેત્ર ગ્રહણની આજ્ઞા) હોય છે અને વર્ષાકાળમાં ચાર માસ માટે ક્ષેત્ર ગ્રહણ થાય છે, તે ઋતુબદ્ધની અપેક્ષાએ જ્યેષ્ઠ-વધુ ગ્રહણ હોવાથી જેઠ ગ્રહ કહેવાય છે. આ સર્વ વ્યાખ્યા એક અર્થને અર્થાત્ ચાતુર્માસ કલ્પને જ સૂચિત કરે છે.
નિર્યુક્તિ કથિત સંયમ સમાચારી = (૧) સાધુ–સાધ્વીએ ચોમાસાનો એક મહિનો અને વીસ દિવસ વ્યતીત થયા પછી અર્થાત્ ભાદરવા સુદ પાંચમના પર્યુષણા(સંવત્સરી) કરવી જોઈએ. જે આલાજ ચામાસિયાતો સવીસતિતે માલે તે પખ્ખોલવેંતિ । – નિયુક્તિ ગા. ૭૧ની ચૂર્ણિ.
(૨) સાધુ-સાધ્વી જે મકાનમાં ચાતુર્માસ નિવાસ કરે ત્યાંથી તેને પ્રત્યેક દિશામાં બે ગાઉ અર્થાત્ અર્ધયોજનથી આગળ ન જવું જોઈએ.