Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી બાકલ્પ સૂત્ર
સંસ્તારક ખોવાઈ ગયા હોય, તો તેની શોધ કરવી જોઈએ. શોધ કરવાથી જો મળી જાય તો તેને આપી દેવા જોઈએ. શોધ કર્યા પછી કદાચિત ન મળે, તો ફરી આજ્ઞા લઈ અન્ય શય્યા-સંસ્મારક ગ્રહણ કરીને ઉપયોગમાં લેવા કલ્પ છે.
વિવેચનઃ
૧૭૪
પ્રસ્તુત સૂત્રોમાં સાધુ-સાધ્વીને માટે ગૃહસ્થના શય્યા-સંસ્તારક પાછા સોંપવાનો વિવેક પ્રદર્શિત
કર્યો છે.
સાધુ ગૃહસ્થને ત્યાંથી પોતાની આવશ્યકતાનુસાર શય્યા-સંસ્તારક પ્રાતિહારિક પાછા સોંપવાની શરતથી લાવે છે, તેથી પોતાની આવશ્યકતા પૂર્ણ થાય, સાધુને બીજે ગામ વિહાર કરવો હોય, ત્યારે ગૃહસ્થના લાવેલા શય્યા સંસ્તારક વ્યવસ્થિત રીતે તેના હાથમાં પાછા સોંપવા જરૂરી છે. તે જ સ્થાનમાં પડેલા શય્યાતરના પાટ–પાટલા વગેરે વ્યવસ્થિત રીતે પહેલાં જેમ હોય, તેમ ગોઠવી દેવા જોઈએ. સૂત્રકારે તેના માટે બે શબ્દોનો પ્રયોગ કર્યો છે—
વિષ્ણ- શય્યાતરના શય્યા-સંસ્તારક જ્યાં જે રીતે હોય તેને તે જ રીતે રાખીને સોંપવા, તેને વિકર કહે છે, અથવા પાટ, તૃણ વગેરે પાઢીહારા લાવ્યા હોય તેમાં માંકડ વગેરે જીવોની ઉત્પત્તિ થઈ હોય તે જીવોને કાઢીને પછી ગૃહસ્થને પાછા સોંપવાને વિકરણ કહે છે.
અવિરĪ- શય્યા-સંસ્તારક યથાસ્થાને ન રાખવા અને વ્યવસ્થિત કરીને ન સોંપવા તેને અવિકરણ કહે છે.
નિર્યુક્તિકારે પ્રાતિહારિક ઉપધિની રક્ષા માટે સાધુ-સાધ્વીને સાવધાન રહેવાનું સૂચન કર્યું છે. સાધુને આહાર, નિહાર આદિ અનિવાર્ય કારણે ઉપાશ્રયમાંથી બહાર જવું પડે ત્યારે તે ઉપધિ અન્ય સાધુને અથવા અન્ય વ્યક્તિને સોંપીને જવું જોઈએ. આ રીતે સાવધાન રહેવા છતાં ક્યારેક ગૃહસ્ય પાસેથી પાઢીહારી લાવેલી વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય, તો તેની શોધખોળ કરવી જોઈએ, શોધખોળ કરવા છતાં પણ ન મળે તો ગૃહસ્થને સત્ય હકીકત જણાવવી જોઈએ કે તમારી અમુક વસ્તુની ચોરી થઈ ગઈ છે અને તપાસ કરવા છતાં મળી નથી. તે ઉપકરણની જરૂર હોય તો અન્ય સ્થાનેથી ગૃહસ્થ પાસેથી યાચના
કરી લઈ આવે અને તેની આજ્ઞા લઈને વાપરી શકે છે.
ન
સાધુ ગૃહસ્થની વસ્તુઓ વ્યવસ્થિત રીતે પાછી ન સોંપે તો ગૃહસ્થને સાધુ પ્રતિ અભાવ થાય, ધર્મ શ્રદ્ધા ઘટી જાય, ફરી વાર તે શય્યા-સંસ્તારકની પ્રાપ્તિ દુર્લભ બની જાય, સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય વગેરે દોષોની સંભાવના છે, તેથી સાધુએ ગૃહસ્થની પ્રાતિહારિક વસ્તુઓ વાપરવામાં અને પાછી સોંપવામાં વિવેક રાખવો જોઈએ.
આગંતુક શ્રમણોને શય્યા-સંસ્તારકની આજ્ઞા વિધિઃ
२७ जद्दिवसं च णं समणा णिग्गंथा सेज्जा- संथारयं विप्पजहंति, तद्दिवसं च णं अवरे समणा णिग्गंथा हव्वमागच्छेज्जा, सच्चेव ओग्गहस्स पुष्वाणुण्णवणा चिट्ठ अहालदमवि ओग्गहे ।
ભાવાર્થ :- જે દિવસે સાધુ શય્યા-સંસ્તારક છોડીને વિહાર કરી રહ્યા હોય તે દિવસે અથવા તે સમયે બીજા સાધુ આવી જાય તો આગંતુક સાધુ પહેલાં રહેલા સાધુએ લીધેલી આજ્ઞાથી યચાલંદકાળ સુધી રહી શકે છે.