Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી બ્રુકલ્પ સૂત્ર
आयरिय उवज्झायं उद्दिसावेत्तए, कप्पर से आपुच्छित्ता आयरियं वा जाव गणावच्छेइयं वा अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ते य से वियरेज्जा एवं से कप्पर आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, ते य से जो वियरेज्जा एवं से णो कप्पइ अण्णं आयरिय उवज्झायं उद्दिसावेत्तए ।
૧૯૬
णो से कप्पइ तेसिं कारणं अदीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए, कप्पर से तेसिं कारणं दीवेत्ता अण्णं आयरिय-उवज्झायं उद्दिसावेत्तए । ભાવાર્થ:- આચાર્ય અથવા ઉપાધ્યાય અન્ય ગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવાને માટે (અથવા તેનું નેતૃત્વ કરવા માટે) જવા ઈચ્છે, તો તેણે પોતાનું પદ છોડયા વિના અન્ય ગણના આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, પોતાનું પદ છોડીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે.
પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા જવું કલ્પતું નથી, પોતાના આચાર્ય યાવત્ ગણાવચ્છેદકને પૂછીને અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે. પોતાના આચાર્ય આદિ આજ્ઞા આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે, આચાર્ય આદિ આજ્ઞા ન આપે તો અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી.
પોતાના આચાર્ય આદિને કારણ બતાવ્યા વિના અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પતું નથી, તેઓને કારણ બતાવીને જ અન્ય આચાર્ય અથવા ઉપાધ્યાયને વાચના દેવા માટે જવું કલ્પે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્ય ગચ્છના આચાર્ય કે ઉપાધ્યાયને પોતાની નિશ્રા ધારણ કરાવવા માટે જવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. કવિસાવિત્તપ્– ઉદ્દેશવિતુન સ્વસ્ય ગુરુત્યુંન વ્યવસ્થાપવિત્તુમ્ । પોતાને ગુરુ તરીકે સ્થાપિત કરવા માટે અર્થાત્ અન્ય આચાર્ય કે ઉપાધ્યાયને પોતાની ઉપસંપદા-નિશ્રા ધારણ કરાવવા માટે જવું.
પોતાની નિશ્રા ધારણ કરાવવામાં તે સાધુને વાચના આપવી, સમાચારીની સમજણ આપવી વગેરે તેના સંયમી જીવનના સર્વાંગી વિકાસની સંપૂર્ણ જવાબદારીનો સ્વીકાર થાય છે.
અન્ય ગચ્છના આચાર્ય કે ઉપાધ્યાયને પોતાની નિશ્રા ધારણ કરાવવાના અનેક કારણો છે, જેમ કે(૧) કોઈ ગચ્છના આચાર્ય મૃત્યુ પામે, ત્યાર પછી તે ગચ્છમાં ઉત્તમ કુલોત્પન્ન નવદીક્ષિત સાધુને આચાર્યની પદવી અપાય ત્યારે તે નવા બનાવેલા આચાર્યને શ્રુત અધ્યયન કરવું જરૂરી હોય અને તે નૂતન આચાર્યને ગચ્છનો ભાર અન્યને સોંપીને આવવું શક્ય ન હોય. (૨) કોઈ ગચ્છના નવા બનાવેલા આચાર્યને અધ્યયન માટે આવવાની પરિસ્થિતિ ન હોય. (૩) કોઈ ગચ્છના આચાર્ય કોઈ વિકટ પરિસ્થિતિમાં હોય અને તે સાધુના પૂર્વ ઉપકારી હોય ઇત્યાદિ અનિવાર્ય પરિસ્થિતિઓમાં અન્ય ગચ્છના આચાર્ય કે ઉપાધ્યાયને વાચના દેવી અથવા પોતાની નિશ્રા ધારણ કરાવવી જરૂરી બને છે. આ પ્રકારના કારણોમાંથી કોઈપણ