Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૪ ]
શ્રી બૃહકલ્પ સૂત્ર
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સાધુ-સાધ્વીને ગૃહસ્થની નિશ્રામાં રહેવાનો વિવેક પ્રદર્શિત કર્યો છે. ઉત્તમ આચારવાન શય્યાતર ગૃહસ્થની નિશ્રા-સુરક્ષાના ઉત્તરદાયિત્વમાં સાધ્વીજીએ રાત્રિનિવાસ કરવો જોઈએ કે જેથી તે શાંત ચિત્તે, ભય વિના સ્વાધ્યાયાદિ કરી શકે.
- સાધુ શય્યાતરની નિશ્રા વિના ઉપાશ્રયમાં રહી શકે છે અને ચોર, હિંસક પ્રાણીઓ કે અન્ય કોઈ ઉપદ્રવ હોય તો સાધુ પણ શય્યાતરની સુરક્ષામાં રાત્રિવાસ કરી શકે છે. ગૃહસ્થયુક્ત ઉપાશ્રય:२५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુ અને સાધ્વીને સાગારિક(ગૃહસ્થના નિવાસયુક્ત) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. २६ णो कप्पइ णिग्गंथाण इस्थिसागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુઓને સ્ત્રી સાગારિક-સ્ત્રીઓના નિવાસયુક્ત ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. | २७ कप्पइ णिग्गंथाणं पुरिससागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધુઓને પુરુષ સાગારિક–પુરુષોના નિવાસયુક્ત ઉપાશ્રયોમાં રહેવું કહ્યું છે. २८ णो कप्पइ णिग्गंथीणं पुरिससागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને પુરુષ સાગારિક-પુરુષોના નિવાસયુક્ત ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. २९ कप्पइ णिग्गंथीणं इत्थि-सागारिए उवस्सए वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને સ્ત્રી સાગારિક-ફક્ત સ્ત્રીઓના નિવાસયુક્ત ઉપાશ્રયમાં રહેવું કહ્યું છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સાગરિક ઉપાશ્રય સંબંધી વિવેક પ્રદર્શિત કર્યો છે. તારિખ ૩વસ - જે ઉપાશ્રય(સ્થાન)માં સ્ત્રી, પુરુષ રહેતા હોય, સ્ત્રી-પુરુષોના શૃંગારિક ચિત્રો દોરેલા હોય, લાકડાની કે પથ્થર આદિની સ્ત્રી-પુરુષની મૂર્તિઓ હોય, તેમના શૃંગારના સાધનો, વસ્ત્ર, આભૂષણ, ગંધ, માળા, અલંકાર વગેરે હોય, ભોજન, પાણીની સામગ્રી હોય, ગીત, નૃત્ય, નાટક વગેરે થતાં હોય અથવા વીણા, વાંસળી, મૃદંગ આદિ વાજિંત્રો વાગતા હોય, તે સાગારિક ઉપાશ્રય(સ્થાન) છે.
સામાન્ય રીતે સાધુ-સાધ્વીને સાગારિક ઉપાશ્રયમાં રહેવાનો નિષેધ છે. ગૃહસ્થોની દૈનિક પ્રવૃત્તિઓ જોઈને સાધુના મનમાં વિવિધ પ્રકારના રાગ-દ્વેષ, વિકાર આદિ ભાવોની ઉત્પત્તિની સંભાવના હોવાથી સાધુ-સાધ્વી ગૃહસ્થ યુક્ત સાગારિક સ્થાનમાં રહે નહીં. તેમ છતાં ક્યારેક નિર્દોષ સ્થાનની પ્રાપ્તિ ન થાય ત્યારે સાધુ પુરુષયુક્ત સ્થાનમાં અને સાધ્વી સ્ત્રીયુક્ત સ્થાનમાં વિવેકપૂર્વક રહી શકે છે.
સાધ્વીઓ પુરુષયુક્ત સ્થાનમાં કે પુરુષના કામવર્ધક ચિત્રો આદિ યુક્ત સ્થાનમાં રહે નહીં અને સાધુ સ્ત્રીયુક્ત સ્થાનમાં કે સ્ત્રીના નૃત્ય આદિ ચિત્રોથી યુક્ત સ્થાનમાં રહે નહીં.