Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી બુદ્ધકલ્પ સૂત્ર
બે, ત્રણ, ચાર, પાંચ સાગારિક અર્થાત્ મકાનના માલિક પારિહારિક હોય છે. જે મકાનના બે, ત્રણ, ચાર અથવા પાંચ માલિક હોય ત્યાં એકને કલ્પાક શય્યાતર તરીકે સ્થાપિત કરીને શેષને શય્યાતર ન માનવા અર્થાત્ એક કપાક-શય્યાતરના ઘરના આારાદિ કલ્પતા નથી શેષ માલિકના ઘરોમાં આારાદિ માટે જઈ શકાય છે.
વિવેચનઃ
૧૫૪
પ્રસ્તુત સૂત્રમાં અનેક માલિક હોય તેવા મકાનની આજ્ઞા લેવાની વિધિ પ્રદર્શિત કરી છે.
-
સાનાર્ :– આગાર એ ઘરનો પર્યાયવાચી શબ્દ છે, ઘર અથવા વસતિના માલિક સાગારિક કહેવાય છે. સાગારિક મનુષ્ય જ શય્યાતર, શય્યાકર, શય્યાદાતા અને શય્યાધર કહેવાય છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે...
(૧) સાધુ-સાધ્વીઓને શય્યા અર્થાત્ રહેવાનું સ્થાન, વસતિ કે ઉપાશ્રય આપીને જે પોતાના આત્માને સંસાર સાગરથી તારે છે, તે શય્યાતર કહેવાય છે.
(૨) શય્યા-વસતિ(રહેવા યોગ્ય સ્થાન આદિ)ને જે બનાવે છે, તે શય્યાકર કહેવાય છે.
(૩) સાધુઓને રહેવાના સ્થાનરૂપ શાનું જે દાન આપે છે, તે શય્યાદાતા કહેવાય છે
(૪) સાધુઓને શય્યા-સ્થાન આપીને જે નરકમાં જવાથી પોતાના આત્માને બચાવે છે, તે શય્યાધર કહેવાય છે. સાધુ-સાધ્વીને જે મકાનમાં નિવાસ કરવાનો હોય, તે મકાનના માલિકની આજ્ઞા લઈને તેઓ તે મકાનમાં રહે છે. તે મકાનના માલિક અન્ય હોય પણ જેના અધિકારમાં(કબજામાં) તે મકાન હોય તેની આજ્ઞા પણ લઈ શકાય છે, જેમ કે બગીચો રાજાનો હોય પણ તે માળીને સુપરત કર્યો હોય, તો માળીની આજ્ઞા લઈ નિવાસ કરી શકાય છે અને જેની આજ્ઞા લેવામાં આવે તે શય્યાતર કહેવાય છે.
જે શય્યાતર સાધુ અથવા સાધ્વીને રહેવાને માટે વસતિ અથવા ઉપાશ્રયરૂપ શય્યા આપે, તેના ઘરના ભોજન-પાણી ગ્રહણ કરવાનો સાધુને નિષેધ છે. તેના ઘરના આહાર-પાણીનો પરિહાર (ત્યાગ) કરાતો હોવાથી તે શય્યાતર પારિધારિક કહેવાય છે. મકાનના ઘણા માલિક હોય તો તે બધા પારિહારિક થાય છે. તે બધાના ઘરના આહાર-પાણી ગ્રહણ કરી શકાતા નથી.
આ પ્રકારની પરિસ્થિતિમાં તે સ્થાનના બધા માલિકોમાંથી કોઈ એકને શય્યાતર તરીકે સ્થાપિત કરવા અર્થાત્ તેની આજ્ઞા લઈને તે સ્થાનમાં રહેવું અને જેની આજ્ઞા લીધી હોય, તે શય્યાતર કહેવાય છે અને તેના ઘરના ભોજન-પાણી આદિ ગ્રહણ કરી શકાતા નથી. તેના સિવાયના તે મકાનના અન્ય ભાગીદારો અથવા હિસ્સેદારો શય્યાતર કહેવાતા નથી અને તેઓના ઘરના આહાર-પાણી ગ્રહણ કરી શકાય છે.
અનેક માલિક હોય તેવા સ્થાનમાં ક્રમશઃ થોડા થોડા દિવસ માટે એક એક વ્યક્તિને શય્યાતર બનાવી શકાય છે. જેટલા દિવસ જેને શય્યાતર બનાવવામાં આવે, તેટલા દિવસ સુધી તેના ઘરના આહાર-પાણી ગ્રહણ કરી શકાતા નથી. આ રીતે કરવાથી એક કપમાં અનેકને શય્યાદાનનો અને આહારાદિ દાનનો લાભ મળી શકે છે. તે પણ આ સૂત્રથી ફલિત થાય છે.
આહારાદિના દાતા ઘણા હોય છે પરંતુ શય્યા(સ્થાન)ના દાતા બહુ ઓછા હોય છે. સાધુ જેના સ્થાનમાં-મકાનમાં રહે તેના ઘરનો આહાર ગ્રહણ કરે, તો સાધુને મકાન મળવા દુર્લભ બની જાય.