Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ઉદ્દેશક-૨,
| ૧૫૩ ]
वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए । ભાવાર્થ :- સાધ્વીઓને ધર્મશાળામાં, ચારેબાજુથી ખુલ્લા મકાનમાં અર્થાત્ છાપરાની નીચે, વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષની નીચે અથવા વૃક્ષની ડાળીઓની ભીંત બનાવી હોય તેવા મકાનમાં તથા આકાશની નીચે અર્થાત્ જેનો અધિકાંશ ભાગ ખુલ્લો હોય તેવા સ્થાનમાં રહેવું કલ્પતું નથી. १२ कप्पइ णिग्गंथाणं अहे आगमणगिहसि वा वियडगिहंसि वा वंसीमूलंसि वा रुक्खमूलंसि वा अब्भावगासियंसि वा वत्थए । ભાવાર્થ :- સાધુઓને ધર્મશાળામાં, ચારેબાજુથી ખુલ્લા મકાનમાં અર્થાત્ છાપરાની નીચે, વાંસની જાળીવાળા ઘરમાં, વૃક્ષની નીચે તથા આકાશની નીચે અર્થાત્ અધિકાંશ ભાગ ખુલ્લો હોય તેવા સ્થાનમાં રહેવું કલ્પ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાધુ-સાધ્વીને રહેવા કે ન રહેવા યોગ્ય સ્થાનોનું કથન છે. ૧. મામજિલિ :- આગમનઘર- જ્યાં મુસાફરોનું સતત આવાગમન હોય તેવા સ્થાન અર્થાત્ સભાગૃહ, ધર્મશાળા, આરામગૃહ, આદિ સ્થાનને આગમનગૃહ કહે છે. ૨. વિયાતિ - વિવૃતગૃહ- ઉપરથી ઢાંકેલા અને બે, ત્રણ અથવા ચારેબાજુથી ખુલ્લા સ્થાનને વિવૃતગૃહ કહે છે. ૩. વલભૂતિ :- વંશીમૂલ- વાંસની ચટ્ટાઈ આદિથી ઉપર ઢાંકેલુ અને આગળથી ખુલ્લું હોય, તેવા ઓસરી આદિને વંશીમૂલ કહે છે અથવા ચારે તરફ વાંસની જાળીથી યુક્ત સ્થાનને વંશીમૂલ કહે છે. ૪. ઉમૂનંતિઃ - વૃક્ષમૂળ- વૃક્ષના નીચેના ભાગને વૃક્ષમૂળ કહે છે. ૫. અમાવલિયંતિ – અબ્રાવકાશ-ખુલ્લા આકાશને અર્થાત્ જેનો ઉપરનો ભાગ વધારે ખુલ્લો હોય તેવા સ્થાનને અબ્રાવકાશ કહે છે.
તેવા સ્થાનમાં સાધ્વીઓએ રહેવું ન જોઈએ કારણ કે તેવા સ્થાન સંપૂર્ણ અસુરક્ષિત સ્થાન છે. વિહાર કરતાં ક્યારેક સૂર્યાસ્તનો સમય થઈ જાય અને યોગ્ય સ્થાન ન મળે તો સાધ્વીએ સૂર્યાસ્ત પછી પણ યોગ્ય સ્થાનમાં પહોંચવું અત્યંત આવશ્યક છે. સાધુઓને તેવા સ્થાનમાં રહેવું કલ્પ છે.
પૂર્વસત્રમાં વિયડ શબ્દ અચિત્ત અર્થમાં પ્રયુક્ત છે અને પ્રસ્તુતસૂત્રમાં વિયડ શબ્દ એક અથવા અનેક દિશામાં ખુલ્લું હોય તેવા ઘર અર્થમાં પ્રયુક્ત છે. અનેક માલિક હોય તેવા મકાનની આજ્ઞા વિધિ:|१३ एगे सागारिए पारिहारिए, दो तिण्णि चत्तारि पंच सागारिया पारिहारिया एग तत्थ कप्पाग ठवइत्ता अवसेसे णिव्विसेज्जा । ભાવાર્થ :- એક સાગારિક-મકાનના એક માલિક પારિહારિક(તેના ઘરના આહારનો પરિહાર ત્યાગ કરવાનો) હોય છે.