Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ઉદ્દેશક-ર
૧૫૫
શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવામાં ઔદેશિક, આધાકર્મ આદિ દોષોની સંભાવના છે, તેમજ સાધુ અન્ય સ્થાનો ઘેર ગોચરી જવામાં પ્રમાદી બની જાય વગેરે ઘણા દોષનું કારણ હોવાથી શય્યાતરપિંડ-શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે.
શય્યાતરપિંડ ગ્રહણ ઃ
१४ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया अणीहडं असंसट्टं वा संसट्टं वा पडिगाहित्तए ।
ભાવાર્થ:
શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢયો ન હોય, તે આહાર સંસૃષ્ટ– બીજાને આપ્યો હોય કે અસંસૃષ્ટ– આપ્યો ન હોય, અર્થાત્ અન્યના આહાર સાથે મિશ્રિત થયો હોય કે ન થયો હોય, પરંતુ તે આહાર હજુ શય્યાતરના ઘરમાં જ હોવાથી સાધુ-સાધ્વીઓને તે આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી.
१५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं असंसट्टं पडिगाहित्तए ।
ભાવાર્થ :શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢ્યો હોય, પરંતુ અન્ય વ્યક્તિને આપ્યો ન હોય અર્થાત્ અન્યના આહાર સાથે મિશ્રિત થયો ન હોય તેવો આહાર સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરવો કલ્પતો નથી.
१६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं संसट्ठ पडिगाहित्तए ।
ભાવાર્થ :શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢ્યો હોય અને તે વ્યક્તિને આપી દીધો હોય, તે વ્યક્તિએ તેને સ્વીકારીને પોતાના આહાર સાથે મિશ્રિત કરી દીધો હોય, તેવો આહાર સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરવો કલ્પે છે.
१७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं - असंसट्टं संस करेत्ताए ।
ભાવાર્થ:શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે તેના ઘરની બહાર કાઢયો હોય પરંતુ અન્ય વ્યક્તિને તે આપ્યો ન હોય અને તે વ્યક્તિએ પોતાના આહાર સાથે મિશ્રિત કર્યો ન હોય, તેવા આહારને ગ્રહણ કરવાની ભાવનાથી સાધુઓ-સાધ્વીઓએ મિશ્રિત કરાવવો કલ્પતો નથી.
१८ जे खलु णिग्गंथे वा णिग्गंथी वा सागारियपिंडं बहिया णीहडं अससट्टं संस करेइ कतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं ।
ભાવાર્થ:- શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે બહાર કાઢયો હોય પરંતુ અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, તેના આહાર સાથે મિશ્રિત થયો ન હોય, તેવા આહારને સાધુ-સાધ્વી ગ્રહણ કરવાની ભાવનાથી અન્યના આહાર સાથે મિશ્રિત કરાવે અથવા મિશ્રિત કરનારને અનુમોદના આપે, તો તે