SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-ર ૧૫૫ શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવામાં ઔદેશિક, આધાકર્મ આદિ દોષોની સંભાવના છે, તેમજ સાધુ અન્ય સ્થાનો ઘેર ગોચરી જવામાં પ્રમાદી બની જાય વગેરે ઘણા દોષનું કારણ હોવાથી શય્યાતરપિંડ-શય્યાતરના ઘરનો આહાર ગ્રહણ કરવાનો નિષેધ છે. શય્યાતરપિંડ ગ્રહણ ઃ १४ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया अणीहडं असंसट्टं वा संसट्टं वा पडिगाहित्तए । ભાવાર્થ: શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢયો ન હોય, તે આહાર સંસૃષ્ટ– બીજાને આપ્યો હોય કે અસંસૃષ્ટ– આપ્યો ન હોય, અર્થાત્ અન્યના આહાર સાથે મિશ્રિત થયો હોય કે ન થયો હોય, પરંતુ તે આહાર હજુ શય્યાતરના ઘરમાં જ હોવાથી સાધુ-સાધ્વીઓને તે આહાર ગ્રહણ કરવો કલ્પતો નથી. १५ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं असंसट्टं पडिगाहित्तए । ભાવાર્થ :શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢ્યો હોય, પરંતુ અન્ય વ્યક્તિને આપ્યો ન હોય અર્થાત્ અન્યના આહાર સાથે મિશ્રિત થયો ન હોય તેવો આહાર સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરવો કલ્પતો નથી. १६ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं संसट्ठ पडिगाहित्तए । ભાવાર્થ :શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે ઘરમાંથી બહાર કાઢ્યો હોય અને તે વ્યક્તિને આપી દીધો હોય, તે વ્યક્તિએ તેને સ્વીકારીને પોતાના આહાર સાથે મિશ્રિત કરી દીધો હોય, તેવો આહાર સાધુ-સાધ્વીઓને ગ્રહણ કરવો કલ્પે છે. १७ णो कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा सागारियपिंड बहिया णीहडं - असंसट्टं संस करेत्ताए । ભાવાર્થ:શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે તેના ઘરની બહાર કાઢયો હોય પરંતુ અન્ય વ્યક્તિને તે આપ્યો ન હોય અને તે વ્યક્તિએ પોતાના આહાર સાથે મિશ્રિત કર્યો ન હોય, તેવા આહારને ગ્રહણ કરવાની ભાવનાથી સાધુઓ-સાધ્વીઓએ મિશ્રિત કરાવવો કલ્પતો નથી. १८ जे खलु णिग्गंथे वा णिग्गंथी वा सागारियपिंडं बहिया णीहडं अससट्टं संस करेइ कतं वा साइज्जइ, से दुहओ वि अइक्कममाणे आवज्जइ चाउम्मासिय परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ:- શય્યાતરના ઘરનો આહાર બીજાને દેવા માટે બહાર કાઢયો હોય પરંતુ અન્ય વ્યક્તિને આપ્યો ન હોય, તેના આહાર સાથે મિશ્રિત થયો ન હોય, તેવા આહારને સાધુ-સાધ્વી ગ્રહણ કરવાની ભાવનાથી અન્યના આહાર સાથે મિશ્રિત કરાવે અથવા મિશ્રિત કરનારને અનુમોદના આપે, તો તે
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy