Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૦.
શ્રી બૃહ૮૯૫ સૂત્ર
ભાવાર્થ :- સાધ્વીઓને સપરિક્ષેપ-કોટ અથવા વાડ સહિતના અને સબાહિરિક-કોટની બહાર વસ્તી સહિતના ગામ યાવતુ રાજધાનીમાં હેમંત અને ગીષ્મઋતુમાં ચાર મહિના સુધી રહેવું કહ્યું છે, બે મહિના ગ્રામાદિ અંદર અને બે મહિના ગ્રામાદિની બહાર. ગ્રામાદિની અંદર રહેનાર સાધ્વીને ગ્રામાદિની અંદર જ ગોચરી કરવી કહ્યું છે અને પ્રામાદિની બહાર રહેનાર સાધ્વીને પ્રામાદિની બહાર જ ગોચરી કરવી કહ્યું છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં સાધુ-સાધ્વીને શેષનાલમાં રહેવાની કાલમર્યાદા નિશ્ચિત કરી છે. સાધુ-સાધ્વીને રહેવા યોગ્ય સ્થાન માટે સૂત્રકારે બે વિશેષણોનો પ્રયોગ કર્યો છે. (૧) સપરિવહેવલિ અબાિિરસિ:- સપરિક્ષેપ અને અબાહિરિક. જે ગામ આદિની ચારે બાજુ પથ્થરો, ઈર્ટ, માટી, લાકડા, વાંસ અથવા કાંટા આદિની વાડ હોય અથવા ખાઈ, તળાવ, નદી, પર્વતનો કોટ હોય અર્થાતુ ગામ આદિ પૂરું થવાની કોઈ પણ પ્રકારની હદ કે મર્યાદા હોય અને તે કોટની અંદર જ ઘર વસેલા હોય, બહાર વસ્તી ન હોય તો તે પ્રામાદિ સપરિક્ષે૫ અબાહિરિક કહેવાય છે. (૨) સપરિવેવંતિ-સંવાદિરિસિ:- સપરિક્ષેપ-સબાહિરિક. જે ગામ આદિની ચારે તરફ પૂર્વોક્ત પ્રકારના કોટમાંથી કોઈ પ્રકારનો કોટ અથવા મર્યાદા હોય અને તે કોટની બહાર પણ ઘર વસેલા હોય, તે ગ્રામાદિ સપરિક્ષેપ સબાહિરિક કહેવાય છે. સાધુ-સાધ્વી ઉક્ત બંને પ્રકારની વસ્તીમાં રહી શકે છે.
સાધુ-સાધ્વી ચાર્તુમાસમાં કોઈપણ ક્ષેત્રમાં ચાર મહિના સુધી રહી શકે છે, પરંતુ ચાર્તુમાસ સિવાય આઠ મહિનાના શેષનાલમાં ક્યાં અને કેટલો સમય રહે? તેનું વિધાન પ્રસ્તુત સૂત્રોમાં છે.
સાધુ– શેષનાલમાં અર્થાત્ હેમંત કે ગ્રીષ્મ ઋતુમાં કોઈપણ સ્થાનમાં એક માસ રહે છે, જો તે સ્થાન સપરિક્ષેપ-સબાહિરિક હોય અર્થાત્ તે ગામની બહારના સ્થાનમાં પણ ઘરો વસેલા હોય જેમ કે ગામની બહાર સોસાયટી વિસ્તારમાં અનેક ઘર હોય, તો તે સ્થાનમાં બે માસ રહે છે. તેમાં એક માસ ગામની અંદર રહે છે અને અંદરના ઘરોમાંથી જ ગોચરી કરે છે અને એક માસ ગામની બહારના સોસાયટી આદિ વિસ્તારમાં રહે છે અને તે બહારના ઘરોમાં જ ગોચરી કરે છે. આ રીતે બે માસ સુધી રહી શકે છે. બે માસ સુધી કોઈપણ એક સ્થાનમાં રહીને અંદરના અને બહારના બંને ઘરોમાંથી ગોચરી કરીને બે માસ સુધી રહેવું કલ્પતું નથી.
સાધ્વીઓ- શેષકાલમાં કોઈપણ સ્થાનમાં બે માસ સુધી રહી શકે છે. તે સ્થાન જો સપરિક્ષેપ અને સબાહિરિક હોય અર્થાતુ ગામની અંદર અને ગામની બહાર વિસ્તારમાં ઘર વસેલા હોય તો બે માસ ગામની અંદર અને બે માસ ગામની બહાર, આ રીતે ચાર માસ સુધી રહી શકે છે અને તે સ્થાન સપરિક્ષેપ તથા અબાહિરિક હોય અર્થાત્ ગામની અંદર જ વસ્તી હોય, ગામની બહાર વસ્તી ન હોય તો તે ગામમાં બે માસ રહેવું કલ્પે છે
આ રીતે ગામાદિના જે વિભાગમાં રહે, તે જ વિભાગમાં ગોચરી કરે તો તેને પ્રત્યેક વિભાગમાં જુદા-જુદા કલ્પના સમય સુધી રહેવું કહ્યું છે. એક વિભાગમાં રહીને અન્ય વિભાગોમાં ગોચરી કરે તો તે વિભાગોમાં જુદા માસ કલ્પના સમય પ્રમાણે રહેવું કલ્પતું નથી.
સૂત્રોક્ત પ્રયુક્ત ગ્રામ આદિ શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે– ગ્રામ- જ્યાં અઢારપ્રકારના કર લેવાય છે, નગર– જ્યાં અઢાર પ્રકારના કર લેવાતા નથી, ખેડ- જ્યાં માટીનો કોટ હોય અને ધૂળ ઉડતી હોય તેવા ગામડાં, કબૂટ– જ્યાં અનેક પ્રકારના કર લેવાતા હોય તેવું નાનું નગર (કર્બટ-કસબો, ગામડું),