Book Title: Tranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રાથના
બીજી દશા | | પ્રાક્કથન છRORORORDROROR
* પ્રસ્તુત બીજી દશામાં ૨૧ પ્રકારના શબલ દોષોનું વર્ણન છે. શબલ દોષો એટલે સંયમ ઘાતક દોષો. દુર્બળ વ્યક્તિ પોતાના ગજા ઉપરાંત વજન ઉપાડે તો તે મૃત્યુ પામે છે, તેમ ૨૧ પ્રકારની દૂષિત પ્રવૃત્તિથી સંયમનો નાશ થાય છે. સંયમ જીવનના મોટા-મોટા અપરાધો શબલ દોષ કહેવાય છે. શબલ દોષો મૂળ ગુણના દોષો છે, તે મહાવ્રતોને દૂષિત કરે છે. તે સંયમ જીવનમાં વિશેષ અસમાધિને ઉત્પન્ન કરે છે. તેનું પ્રાયશ્ચિત્ત પણ ગુરુતર હોય છે. * સંવત અર્ધમાગધી શબ્દની સંસ્કૃત છાયા સંવત અને શનિ થાય છે. (૧) સંવત એટલે બળવાન, ભારે. સબલ દોષ એટલે બળવાન-મોટા દોષો. તે સંયમમાં વિશેષ અસમાધિ ઉત્પન્ન કરે છે. (૨) શનિનો અર્થ છે કાબરચીતરું. શવતાં વરં ચારિત્ર વૈઃ દિયાવિરોનિમિત્તભૂત સમૃદતે તે દિયાવિશેષાંક શવના ૩વ્યક્ત –મુનિહર્ષિણી ટીકા. જે ક્રિયાઓના નિમિત્તે ચારિત્ર શબલ કાબરચિતરું(મલિન, ડાઘ- વાળું) બની જાય છે, તે ક્રિયાઓને શબલ દોષ કહે છે. * વૃત્તિકારે શબલના બે પ્રકાર કહ્યા છે– (૧) દ્રવ્ય શબલ– કાબરચિતરા વર્ણવાળા ગાય, ઘોડા વગેરે દ્રવ્ય શબલ અને (૨) ભાવ શબલ- મહાવ્રત ઘાતક મોટા દોષોથી દૂષિત ચારિત્ર ભાવ શબલ છે. * દોષ સેવનના ચાર પગથિયા છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર. નૂતન મનેસુ વિસુ મસુરનો મવતિ, વાસ્થ મને બૂમો -ચૂર્ણિ. અતિક્રમાદિત્રણના સેવનથી શબલ દોષ થાય છે. અનાચારમાં સર્વથા વ્રત ખંડિત થાય છે. તલ્થ ડિસુપાને વિશ્વનો, પવમેરે વતિનો , જાણે અતિવારો, પરિમો બનાવા માં કોઈ ગૃહસ્થ પોતાને ઘેર ભોજન માટે આવવા સાધુને આમંત્રણ આપે અને સાધુ સાંભળીને તેનો સ્વીકાર કરે તો અતિક્રમ, પાત્રા લઈને આમંત્રિત આહાર લેવા જાય તો વ્યતિક્રમ, પાત્રમાં આમંત્રિત આહારાદિ ગ્રહણ કરે તો અતિચાર અને આમંત્રિત આહારાદિ ભોગવે તો અનાચાર છે. અતિચાર પર્વતના દોષ સેવનના ત્રણ પ્રકાર શબલ દોષ રૂપ છે. * મૂળ ગુણમાં દોષ લાગવા રૂ૫ શબલ દોષોના અનેક પ્રકાર સંભવે છે, પરંતુ અહીં ૨૧ શબલ દોષ કહ્યા છે. અન્ય શબલ દોષ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે.