Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ મિત– જેટલું બોલવાથી વિવક્ષિત કાર્યનું જ્ઞાન થાય તેટલું જ બોલવું પણ ઘણું ન બોલવું તે મિત.
વાચન- અવગ્રહાદિની વારંવાર યાચના કરવી. પ્રચ્છન- જેને સંદેહ ઉત્પન્ન થાય તે માર્ગ વગેરે પૂછે, સૂત્ર અને અર્થ સંબંધી કંઈ પૂછે તે પ્રચ્છન.
પ્રશ્ન-વ્યાકરણ– બીજા વડે પૂછાયેલો સાધુ પ્રવચનથી અવિરુદ્ધ ઉત્તર આપે તે પ્રશ્ન-વ્યાકરણ. આ પ્રમાણે અસત્ય અને પરુષ વગેરે (વચનો)નો ત્યાગ કરીને તેનાથી વિપરીત સત્યની શોધ કરવી જોઇએ (=સત્ય બોલવું જોઈએ.)
મુખ્યપણે યાચના, પ્રચ્છન, પ્રશ્ન-વ્યાકરણ એ ત્રણમાં જ સાધુનો વચન વ્યાપાર હોય છે. બીજામાં નહિ. કારણ કે બીજામાં સાધુઓને કોઇ પ્રયોજન હોતું નથી. પૂર્વપક્ષ- તો પછી સ્વાધ્યાય વાચના વગેરે પણ કરવા જેવું ન રહ્યું.
ઉત્તરપક્ષ– તે બરોબર નથી. વાચનાદિયત્ન આત્માના સંસ્કાર માટે(=આત્મામાં શુભ સંસ્કારો પડે એ માટે) છે. સંસ્કારવાળો આત્મા યાચનાદિ ત્રણમાં જ વ્યાકૃત થાય છે અથવા મુમુક્ષુના મુક્તિ માટે થતા પ્રયત્નમાં જે વચન ઉપકારક હોય તેનો નિષેધ નથી.
હવે સંયમ કહેવાય છે–
“ોનિ: સંયમ: તિ મન, વચન અને કાયા એ યોગો છે. તેમનો નિગ્રહ એટલે શાસ્ત્રોક્ત વિધિથી આ પ્રમાણે જ જવું, આ પ્રમાણે રહેવું, આ પ્રમાણે વિચારવું એમ નિયમન કરવું તે નિગ્રહ. આ નિગ્રહ કહેવાય છે.
સ સાવિધ:' રૂત્યાવિ, તે આવા પ્રકારનો સંયમ સત્તર પ્રકારનો છે. તદ્યથા એવા ઉલ્લેખથી શ્રોતાને તે પ્રકારોની સન્મુખ કરે છે. “પૃથ્વીવાયવસંયમ: પૃથ્વી એ જ કાય=શરીર છે જેમનું તે પૃથ્વીકાયિક.
પૂર્વપક્ષ–જો આ પ્રમાણે (વિગ્રહ) છેતોમવર્ગીય પ્રત્યયનો અભાવ થાય.