Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 295
________________ સૂત્ર-૪૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ૨૬૫ બાર પ્રકારનો તપ છે તેને આચરવાથી કર્મોનો વિપાક થાય છે અને તે વિપાકથી કમોંનો પરિશાટ=નિર્જરા થાય છે. આ પ્રમાણે કહીને નિર્જરાના સંદેહસ્થાનનો પ્રારંભ કરે છે તે આ પ્રમાણે–) બધા જ સમ્યગ્દષ્ટિઓ સમાન જ કર્મ નિર્જરા કરે છે કે, કોઇ ભેદ( તફાવત) છે? પ્રતિવિશેષ એટલે તુલ્ય નિર્જરા નહિ કિંતુ વિષમનિર્જરા, આચાર્ય પણ આ પ્રશ્નને હૃદયમાં રાખીને વિષમ નિર્જરા થાય છે એવું જે તત્ત્વ છે તેને કહે છે કોને કેટલી નિર્જરા થાય તેનો નિર્દેશसम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशो ऽसङ्ख्येयगुणनिर्जराः ॥९-४८॥ સૂત્રાર્થ– સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાંતમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ, જિન. આ દશ ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા થાય છે. તે આ પ્રમાણેસમ્યગ્દષ્ટિથી શ્રાવક અસંખ્યગુણ નિર્જરાવાળો થાય છે. શ્રાવકથી વિરત, વિરતથી અનંતાનુબંધિવિયોજક અસંખ્યગુણ નિર્જરાવાળો થાય છે. એ પ્રમાણે બાકીના જીવો પણ ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા જાણવા. (૯-૪૮). भाष्यं- सम्यग्दृष्टिः श्रावकः विरतः अनन्तानुबन्धिवियोजकः दर्शनमोहक्षपकः मोहोपशमकः उपशान्तमोहः मोहक्षपकः क्षीणमोहः जिन इत्येते दश क्रमशोऽसङ्ख्येयगुणनिर्जरा भवन्ति । तद्यथासम्यग्दृष्टेः श्रावकोऽसङ्ख्येयगुणनिर्जरः श्रावकाद्विरतः विरतादनन्तानुबन्धिवियोजक इत्येवं शेषाः ॥९-४८॥ ભાષ્યાર્થ– સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાંતમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ, જિન. આ દશક્રમશ:અસંખ્યગુણ નિર્જરાવાળા થાય છે. તે આ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330