Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 310
________________ ૨૮૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ - સૂત્ર-૫૦ ભાષ્યાર્થ–પુલાક વગેરે આ પાંચ વિશેષ પ્રકારના નિગ્રંથોનું વ્યાખ્યાન કરવા સંયમાદિ ભેદોથી વિચારણા કરવી જોઇએ. તે આ પ્રમાણે– સંયમ- પ્રશ્ન- કોણ ક્યા સંયમમાં હોય છે? ઉત્તર– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશલ (એ ત્રણ) સામાયિક અને છેદોપસ્થાપ્ય સંયમમાં હોય છે. કષાયકુશીલો પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય એ બે સંયમમાં હોય છે. નિગ્રંથો અને સ્નાતકો એક યથાખ્યાત સંયમમાં હોય છે. શ્રત– પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલો ઉત્કૃષ્ટથી દશપૂર્વધર હોય છે. કષાયકુશીલ અને નિગ્રંથો ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વધરો હોય છે. પુલાકને જઘન્યથી (નવમા પૂર્વની ત્રીજી) આચારવસ્તુ સુધીનું શ્રુત હોય છે. બકુશ, કુશીલ અને નિગ્રંથોને જઘન્યથી અષ્ટપ્રવચન માતા જેટલું શ્રત હોય છે. સ્નાતકકેવલી શ્રુતથી રહિત હોય છે. પ્રતિસેવના-પુલાક બીજાના(=રાજાદિના) આગ્રહથી(=બળાત્કારથી) પાંચ મૂલગુણો અને છઠું રાત્રિભોજન વિરમણ વ્રત) એ છમાંથી કોઇ એકને સેવનારો હોય છે. કેટલાકો કહે છે કે પુલાક બીજાના(=રાજાદિના) આગ્રહથી(=બળાત્કારથી) મૈથુન સેવનારો હોય છે. બકુશ– ઉપકરણબકુશ અને શરીરબકુશ એમ બકુશ બે પ્રકારના છે. ઉપકરણબકુશ-ઉપકરણબકુશ એટલે ઉપકરણમાં આસક્તચિત્તવાળો વિવિધ હોય છે, અને વિચિત્ર પ્રકારના અને અતિશય કિંમતી ઉપકરણરૂપ પરિગ્રહથી યુક્ત હોય છે. ઘણાં ઉપકરણો રાખવાની આકાંક્ષાથી યુક્ત હોય છે તથા ઉપકરણોને સંસ્કારિત કરનારો હોય છે. શરીરબકુશ– શરીરમાં આસક્તચિત્તવાળો અને શરીરની વિભૂષા કરવા માટે શરીરને સંસ્કારિત બનાવનારો સાધુ શરીરબકુશ કહેવાય છે. પ્રતિસેવનાકુશીલ મૂલગુણોની વિરાધના કરતો નથી. કિંતુ ઉત્તરગુણોમાં કંઈક વિરાધના કરે છે. કષાયકુશીલ, નિર્ગથ અને સ્નાતકોને પ્રતિસેવના નથી, અર્થાત્ તેઓ દોષોને સેવતા નથી. ૧. કષાયકુશીલો મૂળગુણોમાં દોષો લગાડતા નથી. કિંતુ કષાય કરવાના કારણે ઉત્તરગુણોમાં દોષો લગાડનારા હોય છે.

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330