Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૬૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
ततः शब्दार्थयोः स्वरूपविशेषचिन्ताप्रतिबन्धः प्रणिधानमर्थसङ्क्रान्तिः काययोगोपयुक्तध्यानस्य वाग्योगसञ्चारः वाग्योगोपयुक्तध्यानस्य वा मनोयोगसञ्चार इत्येवमन्यत्रापि योज्यं, इत्थंलक्षणो विचार इत्यस्ति वितर्कविचारयोः प्रतिविशेष इति ॥ एतदभ्यन्तरं तप इत्यादि, संवरप्रस्तावे इदमुक्तं 'तपसा निर्जरा चे 'ति संवरो निर्जरा च भवति, उभयं करोति तपः, तच्च तपो बाह्यमभ्यन्तरं च संवरकारणं, संवररूपत्वाच्च स्थगिताश्रवद्वारस्य अभिनवकर्मोपचयप्रतिषेधकारिणे नापूर्वकर्म्मपुद्गलप्रवेशः, कर्मनिर्जरा चेति निर्जरणफलत्वात् कर्म्म निर्जरयति, परिशाटयतीत्यर्थः, ततश्चाभिनवकर्मोपचयप्रतिषेधकारित्वात् पूर्वोपचितकर्म्मनिर्जरकत्वाच्च सकलकर्म्मपरिक्षयान्निर्वाणप्रापकमिति ॥ ९-४७॥
સૂત્ર-૪૭
ટીકાર્થ— અર્થ-વ્યંજનમાં અને યોગોમાં સંક્રમણ કરવું તે સંક્રાન્તિ. અર્થ એટલે પરમાણુ આદિ કોઇ એક પદાર્થ. વ્યંજન એટલે પદાર્થનો વાચક શબ્દ. યોગ એટલે મન-વચન અને કાયા. તેમાં સંક્રાન્તિ કરવી, અર્થાત્ એક દ્રવ્યમાં અર્થના સ્વરૂપને વિચારીને વ્યંજનના (શબ્દના) સ્વરૂપનો વિચાર કરવો. વ્યંજન(=શબ્દ)ના સ્વરૂપનો વિચાર કરીને અર્થનો વિચાર કરવો એ અર્થ-વ્યંજન સંક્રાન્તિ છે. અહીં વર્ણ વગેરે પર્યાયો અર્થ છે. વ્યંજન એટલે શબ્દ. અહીં આ કહેવાનું થાય છે કે પહેલા શબ્દના પોતાના સ્વરૂપનું આલંબન કરવું. આ શબ્દનું આ સ્વરૂપ છે, આનો આ પર્યાય છે એમ વિચારવું. ત્યારબાદ તેના સંપૂર્ણ અર્થનું ચિંતન કરવું. ત્યારબાદ તે બેનું (શબ્દ-અર્થનું) વિશેષ ચિંતનના પ્રતિબંધ કરવા રૂપ પ્રણિધાન કરવું, અર્થાત્ ચિંતન વિના તેમાં જ એકાગ્ર બની જવું તે (વ્યંજન) અર્થ સંક્રાન્તિ છે.
કાયયોગમાં ઉપયોગવાળા ધ્યાનનો વચનયોગમાં સંચાર અથવા વચનયોગમાં ઉપયોગવાળા ધ્યાનનો મનોયોગમાં સંચાર એ પ્રમાણે બીજે પણ યોજના કરવી. વિચાર આવા લક્ષણવાળો છે, અર્થાત્ વિચારનું આવું સ્વરૂપ છે, આથી વિતર્ક અને વિચારમાં ભેદ છે.