Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ ૪૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [7]અભિનવટીકા-સંવેગ અને વૈરાગ્ય ન હોય તો અહિંસાદિ વ્રતો સંભવી જ ન શકે તેથી વ્રતધારીઓ માટે સંવેગ અને વૈરાગ્ય પ્રથમ આવશ્યક છે –આ સંવેગ અને વૈરાગ્ય ના બીજ જગતસ્વભાવ અને શરીર સ્વભાવના ચિંતન માંથી નંખાય છે તેથી એ બંનેના સ્વભાવનું ચિંતન ભાવનારૂપે અહીં ઉપદેશવામાં આવેલ છે. - પ્રાણી માત્ર ઓછોવતો દુઃખનો અનુભવ કર્યા જ કરે છે, જીવન તદ્દન વિનશ્વર છે, બીજું પણ કંઈ સ્થિર નથી. આ અને આવા પ્રકારના જગતના સ્વભાવના ચિંતનમાંથી જ સંસાર પ્રત્યેનો મોહ દૂર થઈ જાય તેનાથી ભય અર્થાત સંવેગ ઉત્પન્ન થાય છે. - એ જ રીતે શરીરના અસ્થિર, અશુચિ અને અસારપણાના સ્વભાવ ચિંતનમાંથી જ બાહ્યાભ્યતર વિષયોની અનાસક્િત વૈરાગ્ય જન્મે છે આ સમગ્ર વિગતની મુદ્દાસર છણાવટ અત્રે કરતા પહેલાં એક વિશેષ સ્પષ્ટીકરણ આવશ્યક છે # સિધ્ધસેનીયટીકા સિવાયના શ્વેતામ્બર-દિગમ્બર- સંસ્કૃત કે ગુજરાતી ટીકા વિવેચન ગ્રન્થોમાં- જગતના સ્વભાવનું ચિંતન સંવેગ અર્થે અને -કાયાના સ્વભાવનું ચિંતન વૈરાગ્ય અર્થે એવા પ્રકારે વિભાગીકરણ હોવાનું સ્પષ્ટ કથન વિશેષે કરીને નથી. તેમ છતાં બધે જ સ્થળે જે અર્થઘટનો થયા છે તેમાં આ ભેદરેખા સ્પષ્ટપણે અંકિત થયેલી જોવા મળી છે અને સિધ્ધસેનીયટીકામાં તો આ ભેદકથન અતિ સ્પષ્ટતા થયેલું જ છે માટે જગત સાથે સંવેગને અને કાયા સાથે વૈરાગ્ય નો સંબંધ જોડવો જ કમાવઃ જગતુ-તે-તે દેવ, મનુષ્ય,તિર્યંચ, નારકના પર્યાયને પમાય છે તેને જગત્ કહેવાય છે, એટલે કે જગતનો અર્થ “પ્રાણી જાત' એવો થાય છે જ ધર્માસ્તિકાય,અધર્માસ્તિકાય,આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય અને જીવાસ્તિકાય એ પંચાસ્તિકાય દ્રવ્યમય જગત છે. ૪ જગત એટલે લોક અથવા ચતુગર્તિ પર્યાયાત્મક સંસાર -સ્વભાવ-સ્વરૂપ, પ્રકૃત્તિ પરિણામ. -જગતનો સ્વભાવ - વિવેચનો ને આધારે નીચે મુજબ રજૂ કરી શકાય # સ્વપજ્ઞ ભાષ્ય:- સ્વમાવૌ વ્યાણામ્ અનાદ્રિ માહિત્ પરિણામ યુતી: प्रादुर्भाव-तिरोभाव-स्थिति-अन्यता अनुग्रह-विनाशा: । $ આ જગત્ કથંચિત અનાદિ છે કેમ કે જીવના અસંખ્ય પ્રદેશત્વ, ચેતનત્વ, જ્ઞાનત્વ વગેરે અનાદિના છે આ જગત્ કથંચિત્ આદિમાન છે જેમ કે દેવતા, તિર્યંચ વગેરે પર્યાયો $ પુદ્ગલ દ્રવ્યના દ્રવ્ય સ્વરૂપમાં અનાદિવછે, જયારે તેના ઘડો-વસ્ત્ર વગેરે લક્ષણ રૂપ પુદ્ગલ આદિમાનું છે છે ધર્મ, અધર્મનું લોકાકાશ વ્યાપિત અનાદિનું છે પણ દ્રવ્ય જનિત ગતિ-સ્થિતિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170