Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જગત્ ના સ્વભાવને સંવેગને માટે જ ભાવવો જોઇએ અર્થાત્ જગત્ [સંસાર] ના સ્વભાવ ની વિચારણા સંવેગની પુષ્ટિ માટે જ છે તેવી ભાવના ભાવવી
આ રીતે સંવેગ ને તીવ્ર બનાવવા જગત્ એટલે કે સંસારના સ્વરૂપનું ચિંતન કરવું જોઇએ આ (સંસાર) જગનું સ્વરૂપ પૂર્વે કહેવાઇ ગયું છે તે મુજબ સમજી સ્વીકારી સંસારના કારણોને નાશ કરવો. આ સંસારના કારણો હિંસા આદિ પાંચે દોષો છે માટે તે દોષોની ઉપર અતિઅપ્રીતિ થાય, તે દોષોનો ત્યાગ થાયતો જ ખરે ખર સંસાર પરત્વેનો સંવેગ આવ્યો કહેવાય અને સંવેગમાં નિમિત્ત ભૂત તત્વ જગના સ્વભાવની વિચારણા જ છે
-
- માટે જગન્ના-સંસારના સ્વભાવના ચિંતનથી સંવેગ પુષ્ટ થાય છે કાયાના સ્વરૂપની વિચારણા થી વૈરાગ્યની પુષ્ટિઃ
૪૪
આત્મકલ્યાણના વિકાસ તબક્કામાં કોઇ પણ પ્રકારની આસકિત એ બાધક તત્વ છેવ્રતી જીવોએ દેશથી સર્વથી કે પરિગ્રહો નો અર્થાત્ સંસારના સર્વે બાહ્ય પદાર્થોનો કે તે પરત્વેની મૂર્છાનો ત્યાગ કર્યો હોય છે.
જીવન ટકાવવા કે સંયમ સાધનામાં ઉપયોગી ઉપકરણો તે વ્રતી માટે આવશ્યક છે. પણ દેશવ્રતી ને વ્રતની મર્યાદામાં રહેલો પરિગ્રહ કે મહાવ્રતીને તેની પાસે રહેલા સંયમો પયોગી ઉપકરણ પરત્વે આસકિત ભાવ હોય નહીં, જો એ આસકિત ભાવ ઉત્પન્ન થાયતો ઉપકરણો અધિકરણરૂપ બની જાય છે અર્થાત્ તે જ વસ્તુ સંસારની વૃધ્ધિના કારણરૂપ બને છે.
હવે જયારે આ શરીર-કાયા એ પણ એક ઉપકરણજ છે ત્યારે સતત તે કાયાની અનિત્યતા-અસારતા-અશુચિતા- દુઃખ હેતુતા વગેરેના ચિંતનથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે કાયાની આસકિત થી જ અન્ય પદાર્થોની આસકિતજન્મેછે. (મન-વચનમાફક)કાયાની આસકિત વડે પણ રાગ-દ્વેષની ગ્રંથિનું નિર્માણ થાય છે માટે કાયાના સ્વભાવના સતત ચિંતન થી વૈરાગ્યને પુષ્ટ કરવો
સિધ્ધસેનીય ટીકામાં પણ જણાવે છે કે હ્રાય સ્વમાનું વૈરયાર્થમ્ । શરીરનિતિનર્મતાવિ ઋક્ । અર્થાત્ કાયાના સ્વભાવનું ચિંતન વૈરાગ્યને માટે જ થાય છે.
.....વૈરાં
] [8]સંદર્ભઃઆગમ સંદર્ભઃ
- भावणाहि य सुद्धाहिं सम्मं भावेतु अप्पयं
उत्त. अ.१६ गा ९४
1- जम्मदुक्खं जरादुक्खं अहो दुःखो हु संसारो इम्मं सरीरं अणिणच्चं असुइं असुइ ૩ત્ત. અ.૨૧,K:
સમવ
—અસાસણ રરમી બત્ત અ.૨૧,૫. ૧
—છ્યું હોય્ અપ્પાળું....તારર્સી અનુમન જત્ત, અ.૨૧,૧. રૂરૂ —ળિવ્યું નીવ ોમ્મિ - જન્ન અ. ૧૮,૫. ૧૧,૧૨
- जीवियं चेव रूवं च विज्जुसंपाय चंचलम् उत्त. अ. १८, गा. १३ पूर्वार्धસૂત્રપાઠ સંબંધઃ- ઉપરોક્ત બધા વાક્યો પ્રસ્તુત સૂત્રની સાક્ષી આપે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org