Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા દેવાયું હોય તે જ હિંસા અને તે હિંસા જ દોષરૂપ કહી છે અને એવી ભાવના વિના થયેલાં પ્રાણનાશ કે દુઃખ પ્રદાન એ દેખીતી રીતે હિંસા કહેવાવાછતાં દોષની કોટીમાં આવી શકે નહીં. આ રીતે હિંસક સમાજમાં અહિંસાના સંસ્કારનો ફેલાવો થતાં અને તેને લીધે વિચાર વિકાસ થતાં દોષરૂપ હિંસામાટે માત્ર પ્રાણનાશ એટલોજ અર્થ પર્યાપ્ત ન ગણતાં તેમાં પ્રમત યોગ એ મહત્વનો અંશ ઉમેરાયો
પ્રશ્ન-૨ હિંસાની આ વ્યાખ્યા ઉપર થી પુનઃ પ્રશ્ન થાય છે કે
(૧)જો પ્રમત્ત વિનાજ માત્ર પ્રાણવધ થાય તો તે હિંસા કહેવાય કે નહી? (૨)પ્રાણવધ ન થવા છતાં પ્રમત્ત હોય તોતે પણ હિંસાગણાય કે નહીં?
(૩)જો એ બંને સ્વરૂપે હિંસા ગણાય તો તે હિંસા પ્રમત્ત યોગ જનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિનીજ ગણાય કે તેથી જૂદા પ્રકારની
સમાધાનઃ
–માત્ર પ્રાણવધ સ્થૂલ હોઇ દૃશ્ય હિંસા તો છે જ
–માત્ર પ્રમત્તયોગ એ સૂક્ષ્મ હોવાથી અદૃશ્ય હિંસા પણ છે જ
એ
–આ બંનેહિંસા મધ્યે દૃશ્ય અને અદૃશ્ય પણાના તફાવત ઉપરાંત બીજો એક મહત્વનો જાણવા યોગ્ય તફાવત છે અને તેના જ ઉપર હિંસાના દોષપણા અને અદોષપણાનો આધાર છે
-પ્રાણનાશ એ દેખીતી રીતે હિંસા હોવા છતાં તે દોષજ છે એવું એકાન્તે ન કહેવાય કારણ કે તેનું દોષપણું સ્વાધીન નથીહિંસામાં દોષપણું એ હિંસા કરનાર અથવા જેના વડે હિંસા થઇ ગઇ છે તેની ભાવના ઉપર અવલંબેલું છે તેથી પરાધીન છે.
-જો તે ભાવના જ ખરાબ હોય તો તેમાંથી થયેલો પ્રાણવધ તે દોષરૂપ છે અને ભાવના તેવીન હોય તો તેમાંથી થયેલો પ્રાણવધ દોષરૂપ નથી
--શાસ્ત્રીય પરિભાષામાં આવી દોષરૂપ હિંસાને વ્યહિંસા કે વ્યવહારિક હિંસા કહેવામાં આવે છે
-વ્યહિંસા અથવા વ્યવહારિક હિંસા નો અર્થ એટલો જ છે કે તેનું દોષપણું અબાધિત નથી — તેથી ઉલટું પ્રમત્ત યોગરૂપ જે સૂક્ષ્મ ભાવના તે જાતેજ દોષરૂપ હોવાથી તેનું દોષપણું સ્વાધીન છે અર્થાત્ તેના દોષપણા નો આધાર સ્થૂલ પ્રાણનાશ કે બીજી કોઇ બાહ્ય વસ્તુ ઉપર અવલંબિત નથી.
-સ્થૂલ પ્રાણનાશ ન પણ થયો હોય, કોઇનેદુઃખ ન દેવાયુ હોય, ઉલટું પ્રાણનાશ કરવા જતા કે દુઃખ દેવા જતાં સામે ની વ્યકિતનું જીવન લંબાયુ હોય અગર તો સામા ને સુખ પહોચ્યું હોય છતા પણ તેની પાછળની ભાવના અશુભ હોય તો તે એકાન્ત દોષજ ગણાશે
—આવી ભાવનાને શાસ્ત્રીય પરિભાષામાં ભાવહિંસા અથવા નિશ્ચયહિંસા કહેવામાં આવે છે —ભાવહિંસા અથવા નિશ્ચયહિંસાનો અર્થ એટલોજ છે કે તેનું દોષપણું સ્વાધીન હોવાથી ત્રણે કાળમાં અબાધિત રહે છે
માત્ર પ્રમત્તયોગ કે માત્ર પ્રાણવધ એ બંને છૂટા છૂટા હિંસા કહેવામાં છતાં તેમના દોષપણાનું તારતમ્ય ઉ૫૨પ્રમાણે જાણી લીધાં પછી એ બંને પ્રકારની હિંસાઓ‘‘પ્રમત્તયોગ જનિત પ્રાણવધરૂપ હિંસાની કોટિની જ છે કે તેથી જૂદા પ્રકારની’' એ પ્રશ્નનો ઉત્તર સ્પષ્ટ થઇ જાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org