Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 130
________________ ૧૨૯ અધ્યાય: ૭ સૂત્રઃ ૨૮ વાયોગ દુષ્મણિધાન જન્ય ૧૦ દોષોઃ(૧)કુવચનદોષ - કડવું, અપ્રિય કે અસત્ય વચન બોલવું તે. (૨)સહસાકાર દોષા-વગર વિચાર્યે એકાએક વચન કહેવું તે. (૩)સ્વછંદ દોષઃ-શાસ્ત્રની દરકાર રાખ્યા વિના કોઈપણ વચન બોલવું તે. (૪)સંક્ષેપ દોષા-સામાયિક લેતી વખતે તેની વિધિના પાઠ તથા સ્વાધ્યાય દરમિયાન અન્ય કોઈ સૂત્ર સિધ્ધાંતના પાઠ ટૂંકાણમાં બોલી જવા. | (૫)કલહ દોષ - સામાયિક દરમિયાન કોઈ સાથે કલહકારી વચન બોલવું (૬)વિકથાદોષઃ-સામાયિક દરમિયાન સ્ત્રીના રૂપલાવણ્ય સંબંધિ,ખાનપાનનાસ્વાદ સંબંધિ,લોકાચાર સંબંધિ,કોઈની શોભા કે સૌદર્ય સંબંધિ આદિ અથવા જેને સ્ત્રી કથા,ભકત કથા,દેશ કથા, રાજકથા કહેવાય છે. તે ચાર વિકથાદોષ છે. (૭)હાસ્યદોષ - સામાયિકમાં કોઈની હાંસી કરવી કે હસવું. (૮)અશુધ્ધદોષ - સામાયિકના સૂત્ર પાઠમાં કાનો માત્ર કે મીંડું જૂનાધિક બોલવા અથવા હૃસ્વનો દીર્ઘ અને દીર્ધનો હ્રસ્વ ઉચ્ચાર કરવો સંયુકતાક્ષર તોડીને બોલવા અને છૂટા અક્ષરોને સંયુકત બોલવા તે અશુધ્ધ દોષ છે. (૯)નિરપેક્ષદોષઃ-અપેક્ષારહીત વચન બોલવું એટલે કેનિશ્ચયકારી ભાષાનો ઉપયોગ કરવો તે નિરપેક્ષ દોષ છે. (૧૦)મુણમુણદોષઃ-સામાયિકના સમય દરમિયાન ગણ-ગણ કર્યા કરવું અથવા સૂત્રપાઠમાં ગોટાળા વાળવા તે મુણમુણ દોષ છે. [૩] મનોદુષ્મણિધાનઃ૪ મનોયોગને બરાબર સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કેદૂરપયોગ થવા દેવોતે. ૪ ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનોવ્યાપાર કરવો તે ૪ નિરર્થક કે પાપના વિચારો કરવા. ૪ સામાયિક કરીને ઘરની ચિંતા કરવી,સંકલ્પ-વિકલ્પો કરવા તે ચોથાશીલવ્રતઅર્થાત નવમા સામાયિક વ્રતનો “મનોદુષ્પરિધાન' નામે ત્રીજો અતિચાર છે. મનોદુપ્રણિધાન જન્ય દોષોઃ(૧)અવિવેકદોષ -સામાયિકના સમય દરમિયાન આત્મહિત સિવાય અન્યવિચારો કરવાતે. (૨)યશકીર્તિ દોષઃ-લોકો વાહવાહ બોલે એવી ઇચ્છાથી સામાયિક કરવું તે. (૩)લાભ-વાંછા દોષઃ-સામાયિક દ્વારા કોઈપણ જાતના ધન-લાભની ઈચ્છા રાખવીતે. (૪)ગર્વ દોષ -અન્ય લોકો કરતાં હું સારું સામાયિક કરું છું અને તેથી હું બધા કરતાં ચડિયાતો છું એવો વિચાર કરવો તે. (પ)ભયદોષઃ-હુંસામાયિકનહીં કરું તો અન્ય લોકો શું કહેશે? એવા ભયથીસામાયિક કરવું તે. ()નિદાન દોષઃ-સામાયિક કરીને તેના ફલ તરીકે ધન,સ્ત્રી, પુત્ર, પરિવાર કે ઋધ્ધિ આદિની ઇચ્છા કરવી તે. (૭) સંશય દોષઃ-સામાયિકનું ફળ મળશે કે નહીં તેવો સંશય રાખવો તે. અ. ૭/૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170