Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૩૩
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૯
[૩]અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત સંસ્કારનું ઉપક્રમણઃ# એ જ પ્રમાણે પ્રત્યુપ્રેક્ષણ અને પ્રમાર્જના Íસિવાય સંથારો પાથરવો ઉપાડવો વગેરે
# પ્રત્યુપ્રેક્ષણઅનેપ્રમાર્જન કર્યા વિનાજ સંથારો અર્થાત બિછાનું કરવું કે આસન નાખવું તે અપ્રત્યવેક્ષિત -અપ્રમાર્જિત સંથારાનો ઉપક્રમ નામે પૌષધોપવાસ વ્રતનો ત્રીજો અતિચાર કહ્યો છે
જ સંસ્તાર એટલે સંથારો આસન વગેરે સુવાનાં અને પાથરવાના સાધનો.
ઉપક્રમણ એટલે પાથરવું- દ્રષ્ટિથી જોયા વિના કે બરાબર તપાસ્યાવિના તથા ચરવળા વગેરેથી પ્રમાર્જન કર્યા વિના કે યોગ્ય રીતે પ્રમાયા વિના સંથારો -આસન વગેરે પાથરવું.
૪ સંતાર એટલે સૂવા ઇચ્છતા પૌષધદ્વતીઓ વડે જમીન ઉપર જે બિછાવાય તે સંસ્તાર. અથવા જેમાં સાધુઓ સૂઈ રહે છે તે સંથારો. વિશિષ્ટ અર્થમાં જે દર્ભ,ઘાસ, કાંબલ કે પાથરણાદિનું સૂચન કરે છે. ઉપલક્ષણ થી સૂવાના પાટ-પાટીયા પણ “સંસ્તાર' કહેવાય છે
આ સંથારાની પ્રતિલેખના ન કરવી કે ખરાબ રીતે કરવી તેમજ પ્રમાર્જના ન કરવી કે જેમ તેમ કરવી
संस्तारः संस्तीर्यते यः प्रतिपन्नपौषधोपवासेन दर्भकुशकम्बलीवस्त्रादिस्तस्योपक्रमः करणमनुष्ठानं भूप्रदेशे, यद्वा दर्भादि संस्तीर्यते तत् प्रत्यवेक्ष्प प्रमृज्य चेति, अन्याथाऽतीचारः । [૪]અનાદરઃ
પૌષધવ્રત અને તેના નાના-મોટા સર્વ અંગો ઉપર અનાદર, ઉપેક્ષા સૂત્રોચ્ચારણ, આસન, મુદ્દા,પ્રણિધાનાદિમાંવિધિન સાચવવી, પૌષધમાં ઊંઘવું, પ્રમાદાસને બેસવું એ સર્વે અનાદર સૂચક દોષો છે
# પૌષધમાં ઉત્સાહ વિના જ ગમેતેમ પ્રવૃત્તિ કરવી તે અનાદર
૪ આ અતિચારને “અનુનાપાલના' પણ કહે છે. પૌષધ બરાબર વિધિ પૂર્વક ન કરવો તે અનાદર કે અનનુપાલના નામક, પાંચમા શીલવ્રત અર્થાત દશમાં પૌષધવ્રતનો ચોથો અતિચાર સમજવો
4 अनादर: पोषधोपवासप्रतिपत्तिकर्तव्यताक्रिया यां । [૫]ઋત્યનુપસ્થાપનઃ# પૌષધ ની દરેક ક્રિયા વિધિમાં ભૂલો કરવી. પૌષધ લીધો છે કે નહીં તે પણ ભૂલી જવું
$ પૌષધ કયારે અને કેમ કરવો કે ન કરવો તેમજ કર્યો છે કે નહીં વગેરેનું સ્મરણ ન રહેવું. તે નૃત્યનુપસ્થાપન નામનો પાંચમોઅતિચાર કહ્યો છે.
# નોંધઃ- વંદિતાસૂત્રાદિમાં આ અતિચાર નો ઉલ્લેખ જોવા મળતો નથી કેમ કે ત્યાં ઉચ્ચાર અર્થાત ઉત્સર્ગ શબ્દ ના જ અતિચારના બે અલગ અલગ ભાગ કર્યા છે
આ પ્રમાણે દશમાં પૌષધદ્રતના પાંચ અતિચારો કહેલા છે પૌષધની શુધ્ધિ માટે નીચેના અઢાર દોષ પણ નિવારવા જોઈએ (૧)અવિરતિ શ્રાવકના લાવેલા આહાર પાણી વાપરવા. (૨)પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો.
(૩)ઉત્તર ધારણાને દિવસે વિવિધ પ્રકારની સામગ્રી વાપરવી Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org