Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 129
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [] [7] અભિનવટીકાઃ- સૂત્રકાર મહર્ષિ અહીં ત્રણ વાકયો થકી પાંચ દોષોને જણાવે છે. ત્યાં અતિચાર શબ્દ ની અનુવૃત્તિ કરી લેવી.તેમજ વ્રત શૌòપુ-સૂત્રપાઠ મુજબ આ ચોથાશીલવ્રત અર્થાત્ સામાયિક વ્રતના અતિચારો છે તે સ્પષ્ટ સમજી શકાય તેવું છે. ૧૨૮ અહીં યો। શબ્દ છે તેનો અર્થ આ પૂર્વે ઞ.૬-મૂ-† માં જણાવ્યા મુજબ જયવાડ્મન: ર્મ યોગ: અર્થાત કાયા-વચન કે મનનું કર્મને યોગ કહેલો છે. ટુળિયાને શબ્દ નો અર્થ દુરુપયોગ અથવા દૂષિતરૂપથી પ્રવર્તાવવા એવો થયો છે. અર્થાત્ ત્રણે યોગનો દુષ્ટપ્રયોગ કે યથાયોગ્ય પ્રયોગનો અભાવ તે જ દુષ્પ્રણિધાન. [૧] કાય- દુષ્પ્રણિધાનઃ- કાયારૂપ ઉપયોગને સંયમમાં ન રાખતા તેનો છૂટથી ઉપયોગ કે દુરપયોગ થવા દેવો તે. ૐ સાવદ્ય કે પાપની પ્રવૃત્તિ કરવી. હાથ પગ વગેરેનું નકામું અને ખોટી રીતે સંચાલન કરવું તે કાય દુપ્રણિધાન. સામાયિક લેતી વખતે ભૂમિ પ્રમાજર્યાવિના બેસવું અથવા સામાયિક લીધા પછી હાથ-પગ લાંબા-ટૂંકા કર્યા કરવા કે કુતુહલવશાત્ ઉભા થવું,હાથ-પગ વગેરેની નિશાનીઓ ક૨વી. આદિને કાયદુપ્રણિધાન નામનો-ચોથાશીલવ્રતનો પ્રથમ અતિચાર કહયો છે. કાય-યોગના દુષ્પ્રણિધાન જન્ય ૧૨ દોષોઃ (૧)અયોગ્ય આસનઃ- સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસવું. (૨)અસ્થિર આસનઃ- ડગમગ આસને બેસવું. (૩)ચલ દ્રષ્ટિદોષઃ- સામાયિકમાં બેઠાબેઠા ચારે તરફ નજર ફેરવ્યા કરવી. (૪)સાવધ ક્રિયાઃ-સામાયિકમાં હોવા છતાં ઘરકામ કે વેપાર-વણજની વાતોની સંજ્ઞાથી ઇશારો કરવો તે. (૫)આલંબનદોષઃ-સામાયિક વખતે કોઇ ભીંત કે થાંભલાનું આલંબન લઇને બેસવું તે. (૬)આળસદોષઃ-સામાયિકમાં આળસ મરડવી તે આળસદોષ. (૭)મોટનદોષઃ-સામાયિકદરમિયાનાથ-પગની આંગળીનાટચાકાફોડવાશરીરમરડવુંતે. (૮)મળદોષ:-સામાયિક દરમિયાન શરીરનો મળ ઉતારવો તે. (૧૦)નિદ્રાદોષઃ- સામાયિકમાં ઉંઘવું તે. (૧૧)વસ્ત્ર સંકોચનદોષઃ- સામાયિકમાં ટાઢ વગેરેને કારણે વસ્ત્ર સંકોચવા (૧૨)આકુંચન પ્રસારણ દોષઃ- સામાયિક ચાલુ છતાં હાથ-પગને લાંબા ટૂંકા કરવા તે. शरीरावयवाः पाणिपादादयस्तेषामनिभृततावस्थापनं काय दुष्प्रणिधानम् । [૨] વચન-દુણિધાનઃ વચન યોગને બરાબર સંયમમાં ન રાખતા છૂટથી ઉપયોગ કે દુરુપયોગ થવા દેવો તે. શબ્દસંસ્કાર વિનાની અને અર્થવિનાની તેમજ હાનિકારક ભાષા બોલવી તે વચનદુષ્પ્રણિધાન નામક ચોથાશીલવ્રતનો અતિચાર છે. × સામાયિક લઇને કર્કશ અથવા તેવા પ્રકારના દોષવાળા સાવધ વચનો બોલવા. નિરર્થક કે પાપના વચનો બોલવા તે વચન-દુપ્રણિધાન. वर्णसंस्काराभावार्थनवगमचापल्यानिवाकक्रिया वागदष्प्रणिधानम For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170