Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૨૧ લાંબો સમય ગાળો ગયો હોવાથી ભૂલી જાય અને ૮૦ને બદલે ૭૦ તોલા સોનું માંગે ત્યારે તેટલું સોનું આપી બાકીનું હજમ કરી જવું
જો કે ન્યાસપહારએ એક જાતની ચોરી છે, છતાં તેમાં ચોરીને છુપાવવા તેવાં અસત્ય મિશ્રિત વાક્યો બોલવાનો પ્રસંગ આવે એ દૃષ્ટિએ એને સત્યવ્રતના અતિચાર તરીકે ગણવામાં આવેલ છે
कन्यस्यते-निक्षिप्यत इति न्यास: रूपकाद्यर्पणं तस्यापहारः अपलाप: योऽवद्रव्यापहार: परस्वस्वीकरणलक्षणः स न विवक्षितः तस्यादत्तादान विषयत्वात् यत् तत्र वचनमपलापकं येन करणभूतेन न्यासोऽपहियते-अपलप्यते तद् वचनं न्यासापहार:
व न्यासापहारो विस्तरणकृतपर निक्षेप ग्रहणम् । $ વંદિતસૂત્રાદિ અન્યત્રન્યાસપહારને બદલે સહસાવ્યાખ્યાન અતિચાર કહેલો છે. સહસાભ્યાન - વિકલ્પિક ચોથો અતિચાર).
$ વગર વિચાર્યું કે ઉંડાણમાં ઉતર્યા વિના એકાએક બોલવામાં આવે તે સહસા અને કોઈના પર દોષારોપણ કરવું જેમ કે “તું જુઠો છે' ‘તુ વ્યભિચારી છે' તે અભ્યાખ્યાન એટલે આવેશ થી , બેદરકારી થી કે વગર વિચાર્યું કોઇને દોષિત કહેવો તે સહસાવ્યાખ્યાન નામક બીજા વ્રતનો અતિચાર છે.
છે સહસા એટલે વિચાર કર્યા વિના ઓચિંતુ અને અભ્યાખ્યાન એટલે આરોપ વળી ક્યારેક આરોપ નો ઇરાદો ન હોય છતાં ઉતાવળથી હકીકત બરોબર જાણ્યા વિના અસત્ય હકીકતને સત્ય હકીકત સમજીને અનાભોગથી કહીદે છે. અહીં અંતરમાં વ્રતભંગ ના પરિણામો ન હોવાથી અતિચાર કહેલ છે. પિસાકાર મંત્રભેદઃ
# અંદરો અંદર પ્રીતિ તુટે તે માટે એકબીજાની ચાડી ખાવી અગર કોઇની ખાનગી વાત પ્રગટ કરી દેવીતે સાકારમંત્ર ભેદ
૪ કોઇની ગુપ્ત વાત જાહેર થાય તેવી યુકિતઓ કરવી વિશ્વાસ ભંગકરવો વગેરે
૪ આકાર એટલે શરીરની આકૃત્તિ-ચેષ્ટા વિશેષ આકારથી સહિત તે સાકાર અને મંત્ર એટલે અભિપ્રાય-અન્યની તેવા પ્રકારની શરીરની ચેષ્ટાથી જાણેલ અભિપ્રાયતેસાકાર મંત્ર. તેનો ભેદ એટલે બહાર પ્રકાશન કરવું તે આકાર મંત્ર ભેદ આતો સાકારમંત્ર ભેદનો શબ્દાર્થ છે.
–ભાવાર્થ મુજબ - વિશ્વાસપાત્ર બનીને તેવા પ્રકારની શરીર ચેષ્ટાથી અથવા તેવા પ્રકારના પ્રસંગ ઉપરથી કે આજુબાજુના વાતવરણ વગેરેના આધારે અન્યની ગુપ્ત વાતો એકબીજાને કહીને પરસ્પર પ્રીતિનો વિચ્છેદ કરાવે તેને સાકારમંત્ર ભેદનામે સત્ય વ્રતનોધૂળમૃષાવાદ વિરમણ વ્રતનો પાંચમો અતિચાર કહ્યો છે કેમ કે અહીં હકીકત સત્ય હોવા છતાં તે હકીકતના પ્રકાશનથી સ્વપરને દ્વેષ, આપઘાત,લડાઈ,કલેશ કંકાસ વગેરે મહાન અનર્થ થવાનો સંભવ છે.
* आकारोऽङ्गुलिहस्तभूनेत्रक्रियाशिर:कम्पादिः अनेकरूप: परशरीरवर्ती, तेन ताद्दशा आकारेण सहाविनाभूतो यो मन्त्रो-गूढ: पराभिप्राय: तमुपलभ्य सहाकारं मन्त्रमसूयाऽऽविष्करोति।
- [વિકલ્પ-૫] સ્વદારામંત્રભેદ-સાકાર મંત્રભેદને સ્થાને ગ્રન્થાન્તરમાં “સ્વદારામંત્ર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org