Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 117
________________ ૧૧૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જે ઉલ્લંઘન કરેલ હોય તેને હિરણ્યસુવર્ણપ્રમાણાતિક્રમ નામનો અપરિગ્રહાણુવ્રત નો બીજો અતિચાર કહ્યો છે નોંધ:-અહીંચાંદી-સોનાના ઉપલક્ષણથી ઉચ્ચ પ્રકારની અન્ય ધાતુઓ, રત્ન,ઇન્દ્રમણી વગેરે કિંમતી પત્થર,રોકડ આદિ બહુમૂલી સર્વેનું ગ્રહણ કરવું [एतद्ग्रहणाच्चइन्द्रनीलमरकतादि उपलक परिग्रहः] [૩]ધન-ધાન્ય પ્રમાણતિક્રમધનઃ-ગાય,ભેંસ,બળદ,આદિ ચારપગા પશુરૂપ ઘન # ઘોડા,હાથી, પાડા,ઘેટા, બકરા,ગાય વગેરે ચતુષ્પદ તે ધન # ધન –મદિષ્ય - મનવા - મ - તુરી - અમૃત વતુષઃ પરિપ્રદ્દઃ | ધાન્યઃ- ઘઉં,બાજરી,ચોખા આદિધાન્ય पर व्रीहि-कोद्रव-मुद्ग-माष-तिल-गोधूम-यव प्रमृति -ધન ચાર પ્રકારે પણ કહ્યું છે ગ્રિન્થાન્તરથી ધનનું સ્વરૂપ (૧)ગણિમ:- જે વસ્તુઓ ગણીને લેવાય જેમ કે શ્રીફળ-સોપારી વગેરે (૨)ધરિમ - જે વસ્તુઓ ધારીને-તોલીને લેવાય તે ઘરિમ. જેમ કે ગોળ સાકર (૩)મેય - જે વસ્તુઓ માપીને કે ભરીને લેવાય જેમ કે ઘી,તેલ,કાપડ વગેરે. (૪)પરિચ્છેદ્યઃ- જે વસ્તુ કસીને કે છેદીને લેવાય જેમ કે સુર્વણ રત્ન વગેરે. [નોંધઃ-તત્વાર્થ સૂત્ર વૃત્તિ અનુસાર તો ધન માં ચતુષ્પદ નો સમાવેશ કરાયેલો છે –ધાન્ય ચોવીસ પ્રકારે ગણાવાય છે જવ, ઘઉં, શાલિ,ડાંગર,સાઠી,કોદરા,જુવાર, કાંગ,રાલક,તલ,મગ,અડદ,અળસી,ચણા, મકાઈ,વાલ,મઠ,ચોળા,બંટી, મસૂર, તુવેર,કળથી,ધાણા, વટાણા આ રીતે વિવિધ પ્રકારના ધન-ધાન્યમાંથી અમુક જ ધન ધાન્ય પોતાના ઉપયોગ માટે છૂટું રાખવું પણ તેથી વધારેનો ત્યાગ કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ કહેવાય છે. કોઈપણ પ્રકારની ભૂલ-ચૂકથી આ મર્યાદાનો ભંગ થાય અર્થાત ધારેલ પ્રમાણથી અધિક ધન-ધાન્યનો સ્વીકાર કરવો તે ધન-ધાન્ય પરિગ્રહ પરિમાણ અતિક્રમનામનો અપરિગ્રહવ્રત નામનો ત્રીજો અતિચાર કહ્યો છે. [૪]દાસ-દાસ પ્રમાણાતિક્રમ૪ નોકર ચાકર વગેરેના પ્રમાણનો અતિક્રમ કરવો તે દાસ દાસી પ્રમાણીતિક્રમ ૪ અહીં દાસ-દાસી શબ્દથી બે પગા નોકર-ચાકર-ચાકરડી વગેરે ઉપરાંત મોરપોપટી-મેના વગેરે પક્ષીઓ પણ ગ્રહણ કરવાના છે ધારેલ પ્રમાણથી વધુનોકર-ચાકરનો કેમેના-પોપટ આદિપક્ષીનો સંગ્રહ કરવોઅર્થાનિયત કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે દાસી-દાસ પ્રમાણતિક્રમ નામક ચોથો અતિચાર સમજવો. # નોંધ-વંદિતસૂત્ર-ધર્મરત્નપ્રકકરણ આદિગ્રન્થોમાં દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ એવો અતિચાર કહે છે. दासीदासा: कर्मकरा: उपरुधिका वा परिणयनादिविधिना स्वीकृता वा पत्नीत्यादि सकलद्विपदाभिगृहीतपरिमाणातिक्रमोऽतीचारः । ततश्च हंस-मयूर-कुर्कुट-सारीकादिनां च Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170