Book Title: Sharda Siddhi
Author(s): Shardabai Mahasati
Publisher: Saurashtra Sthanakvasi Jain Sangh

View full book text
Previous | Next

Page 898
________________ શારદા સિદ્ધિ ભગવાનની વાણીને પ્રભાવ જ એ છે કે જ્યાં ચંચળ સ્વભાવના જ અચંચળ બની જાય છે, અને સ્વાભાવિક પરસ્પર વૈર વૃત્તિવાળા છે જેમ કે સંપ અને મયૂર, બિલાડી અને ઉંદર, મૃગલા અને સિંહ વગેરે પિતાને જન્મજાત સ્વાભાવિક વૈરભાવને ભૂલી જઈને એકબીજાની બાજુમાં બેસીને ભગવાનની દિવ્ય દેશના સાંભળે છે. એ સ્થાન જ એવું હોય છે કે જ્યાં જતા હિંસક છે પણ પોતાની સ્વાભાવિક વૈરવૃત્તિ ભૂલી જાય છે. સમવસરણ જેવું સ્થળ અને ભગવાનની દિવ્ય દેશના આ બંનેને વેગ શ્રોતાજનેને કલાક સુધી રોકી રાખે. એમાં નવાઈ પામવા જેવું કંઈ નથી. અઢાર દેશના રાજાઓ, પાવાપુરીની જનતા તેમજ બીજા ઘણાં માણસો આવ્યા હતા. સૌ ભગવાનના મુખેથી વહેતી અમૃતવાણી સાંભળવામાં તલ્લીન બન્યા છે. ઈન્દ્રો, દે અને માન સૌના દિલમાં એક દુઃખ હતું કે બસ હવે આપણું ભગવાન મેક્ષે પધારશે? આપણને અરિહંત પ્રભુનો વિયોગ પડશે? જોતજોતામાં બે દિવસ તે કયાંય પસાર થઈ ગયા. સેળ પ્રહર અખંડ ઉપદેશ ધારા વહાવત આસો વદ અમાસની પાછલી રાત્રે આપણા શાસનનાયક ભગવાન મહાવીર સ્વામી સૌને મૂકીને મોક્ષે સીધાવ્યા. જે રાત્રે ભગવાન મોક્ષમાં બિરાજ્યા તે રાત્રે ભગવાનના પટ્ટ શિષ્ય ગૌતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું, એટલે એક તરફ અરિહંત ભગવાન મહાવીર સ્વામીને વિયોગનું દુઃખ અને બીજી, તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાન મહોત્સવને આનંદ. ભગવાનને નિર્વાણ મહોત્સવ અને ગૌતમ સ્વામીને કેવળજ્ઞાન મહત્સવ આ બંને મહત્સવ ઉજવવા માટે દેવે આવ્યા હતા. આ સમયે પાવાપુરીમાં હર્ષ અને શેક બંને પ્રસંગે ઉપસ્થિત થયા હતા, આ વદ અમાસની રાત્રે પાછલા પ્રહરે ભગવાન મોક્ષમાં ગયા છે. આજે દિવાળીના પવિત્ર દિવસે ભગવાને શું કર્યું, ભગવાન કેવું જીવન જીવી ગયા અને આપણને શું આપી ગયા એને વિચાર કરવાનું છે. વહેપારીઓ પણ મોડામાં મોડા દિવાળીના દિવસની રાત્રે બેસીને વર્ષભરની કાર્યવાહીની સમાપ્તિ કરે છે, અને નફા છેટાનું તેમજ લેવડદેવડનું સરવૈયું કાઢે છે. આ દુન્યવી વહેપારની નુકશાનીની ભરપાઈ સાથે નફાનું સરવૈયું તે સામાન્યમાં સામાન્ય વહેપારી પણ કાઢી શકે છે પણ આત્માની નુકશાની અને નફા તરફ જીવ તદ્દન અજાણ અને બેદરકાર રહ્યો છે. એ બેદરકારી કયાં સુધી રાખશો ? વિચાર કરો. ભગવાને આ જગતમાં જન્મીને સર્વ પ્રથમ તે રાજસંપત્તિને ત્યાગ કરીને સંયમ લીધે. સંયમ લઈને સંસારની કાર્યવાહીની સમાપ્તિ કરી દીધી, અને ઉગ્ર તપ સાધના કરી નુકશાનીને વળતર વાળી દીધા અને આત્મ મિલ્કત સાથે નીતરતું નફાનું સરવૈયું કાઢયું, એટલે કે ઘાતી કર્મને ક્ષય કરી સર્વજ્ઞ બન્યા. સર્વજ્ઞ બન્યા એટલે આત્માની અનંત સમૃદિધના સ્વામી બન્યા. એક વખત ભગવાનને આત્મા પણ બીજા ની માફક ભવાટવીમાં ભમતે નુકશાની પર નુકશાની કરતો હતો, કારણ કે મેહ અને અજ્ઞાનમાં અટવાયેલે જીવ ભવ રૂપી બજારમાં ધૂમે છે ને અવળા વહેપાર કર્યે રાખે છે. નરક તિયચ જેવા હલકા

Loading...

Page Navigation
1 ... 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992