Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

Previous | Next

Page 12
________________ ૧૧ નિર્વિકલ્પતાને પ્રતિષ્ઠિત કરતી બીજી મઝાની આ કડી (૩-૩) : જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો; નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...” તીક્ષ્ણ, સૂક્ષ્મ જ્ઞાતાભાવ તે ચારિત્ર. ચારિત્ર એટલે ઉદાસીનભાવ. જ્ઞાતાભાવ ઘૂંટાય એટલે એ ઉદાસીનભાવમાં પરિણમે. જ્ઞાયકભાવને સુખ સાથે સાંકળતાં સરસ વાત કહેવાઈ (૪-૬) : જ્ઞાયકભાવ જે એકલો ગ્રહે તે સુખ સાધે... આવી રણઝણાવનારી પંક્તિઓ એક પછી એક વહ્યા જ કરે છે સ્તવનમાં અને ભાવક એના પ્રવાહમાં લસર્યા જ કરતો હોય છે. આ તો થઈ મૂળ સ્તવનાની વાત. હવે થોડીક વાતો અનુવાદક વિષે. અનુવાદક પંડિત ધીરુભાઈને માટે એક વાક્ય કહેવાનું ખાસ મન થાય : તેઓ વિદ્વત્તાના ભાર વિનાના વિદ્વાન છે. તેમની આંખોમાં ગ્રન્થો ભણાવતી વખતે જે અહોભાવનું પૂર પ્રગટે છે તે દેખતા જ રહી જવાય તેવું છે. અહોભાવ ગ્રંથકાર ભગવંત પ્રત્યે, અહોભાવ ભણનાર પૂ. સાધુસાધ્વીજી મહારાજાઓ પ્રત્યે. પંડિત ધીરુભાઈ ભણનારને ઉપયોગી થાય એ પદ્ધતિથી જે ગ્રન્થોની શ્રેણિ પ્રગટ કરી રહ્યા છે, તેનો આ એક સમૃદ્ધ મણકો છે. પંડિતજી દ્વારા આવા અનુવાદો આવ્યા જ કરો એવી મંગળ ભાવના. ભદ્રકરસૂરીશ્વરજી સમાધિમંદિર, - વાસણા, અમદાવાદ. મહા વદિ ૧૧, વિ. ૨૦૫૯ -આચાર્ય યશોવિજયસૂરિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 292