________________
૧૬૦
સાગર
આ પ્રશ્નન - ૧૯૩૮-પ્રવચનસારોહારદીકા તથા કર્મગ્રંથટીકામાં શ્રતવિભાગમાં પદનું પ્રમાણ જાણવામાં નથી તેમ લખે છે, તો તે વિષે આપ જાણતા હે તે લખશે ?
સમાધાન-આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસુરિજી શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ટીકામાં અર્થાધિકારવાળું પદ લેવા જણાવે છે.
પ્રશ્ન ૧૦૩૯-મહાવિદેહમાં અહીની પેઠે વર્ણ વ્યવસ્થા ખરી કે નહિ ? કથાનુયોગમાં-ક્ષત્રિયોનાં ઉદાહરણો આવે છે, તે હિસાબે બીજી કોમો પણ અનાદિકાળથી હેવાને સંભવ ખરે કે નહિ ? અને હેય તે આ યુગમાં ભારત રાજાના વખતમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ એમ તે રહ્યું જ નહિ ?
સમાધાન-યુગલીયાના વખતમાં વર્ણ વિભાગ ના હેય. અસિઆદિથી પ્રવૃત્તિ થાય ત્યારે તે હેય છે,
પ્રશ્ન ૧૦૪૦-મહાવિદેહમાં પણ અહીંની પેઠે ષડુ દર્શને ખરા કે નહિ ? અથવા ઓછાં વત્તા ? અને હેય તે ક્યાં સુધી રહેવાનાં ?
સમાધાન-મહાવિદેહમાં પણ જુદાં જુદાં મિથ્યાત્વિદર્શનોને અસંભવ નથી.
પ્રશ્ન ૧૦૪૧-જેમ ૧૪-૧૦ પૂર્વધર સંભળાય છે તેમ ૧૧૧૨-૧૩ પૂર્વધર કોઈ કાળમાં હેય ખરા કે નહિ?
સમાધાન-અહીં શ્રીસ્થૂલભદ્રજીનું નિર્વાણ થતાં અગીયારઆદિ પૂર્વેને સાથે જ વિરછેદ થયો છે. પણ બધે ક્ષેત્રે અને બધે કાલે તેમ નથી.
પ્રશ્ન ૧૦૪-પહેલા પૂર્વ કરતાં બીજાં પૂર્વો અને અનુક્રમે બમણું લખે છે, અને પદની સંખ્યા તે ઓછી વસ્તી લખે છે, તે બમણું બમણું કેમ સમજવાં ?