Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 27
________________ ઉત્તર – વીતરાગ ભગવાન દ્વારા પ્રરૂપિત અસ્તિકાય ઘર્મ, તથા શ્રતધર્મ અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરવા રૂપ તત્ત્વરૂચિ. પ્રશ્ન ૪૨ - સમ્યગુદર્શનના અંગ કેટલા છે? અને તે કયા કયા? ઉત્તર – ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૨૮માં ગાથાની અંદર બતાવેલ છે કે સમ્યગદર્શનના આઠ અંગ છે. निस्संकिय-निक्कंखिय-निव्वितिगिच्छा अमूढदिट्ठीय । उववूह-थिरीकरणे, वच्छल्ल-पभावणे अट्ठ ॥ (૧) નિઃશંકતા - નિસંકિય) તીર્થંકરના વચનમાં પરમ આસ્થા, તેમાં કોઈપણ પ્રકારે શંકા ન કરવી. (ર) નિષ્કાંક્ષતા - (નિખિય) અન્યદર્શનીના આડંબર દેખી તેની ઇચ્છા ન કરવી. તથા ધર્મકરણી દ્વારા આલોક અને પરલોકના ભૌતિક સુખની ઇચ્છા ન કરવી. (૩) નિર્વિચિકિત્સા (નિશ્વિતિગિચ્છ) કરેલાં સત્ય આચરણનાં ફલમાં સંદેહ ન કરવો. (૪) અમૂઢષ્ટિ - (અમૂિિઠઅન્ય દેવાદિકમાં તથા તત્ત્વમાં અમૂઢતા. (મૂઢતા અનેક પ્રકારની છે, જેમ કે ૧. દેવમૂઢતા - રાગદ્વેષયુક્ત દેવોની ઉપાસના કરવી, તેના નિમિત્તે હિંસાદિ પાપ કરવા. ૨. ગુરુમૂઢતા - પતિત આચારવાળા સાધુઓને ગુરુ માનવા. ૩ લોકમૂઢતા - લોક પ્રચલિત કુપ્રથાઓ, કુરૂઢિઓના પાલનમાં ધર્મ સમજવો. ૪. શાસ્ત્રમૂઢતા - હિંસાદિનો ઉપદેશ દેનારાં ધર્મશાસ્ત્રોનું માનવાં. ૫. ધર્મમૂઢતા - આડંબર, પ્રપંચયુક્ત ધર્મને સાચો મોક્ષદાયી ધર્મ માનવો. આવી મૂઢતાથી રહિત દેષ્ટિ તે અમૂઢ ષ્ટિ (૫) ઉપબૃહણ - (qબૂણ) આત્મગુણની વૃદ્ધિ અને અન્યના જ્ઞાનાદિ ગુણો દેખી તેની પ્રશંસા કરવી. (૬) સ્થિરીકરણ - થિરીકરણ) શ્રદ્ધા અને ચારિત્રથી ડગતાં જીવોને ધર્મમાં પુનઃ સ્થિર કરવા. તથા પોતાના આત્માને પણ આત્મભાવમાં સ્થિર કરવો. (૭) વાત્સલ્ય - ( વક્લતા) ચતુર્વિધ સંઘ તથા સાધર્મિકોની સાથે વાત્સલ્યતા રાખવી. જીવમાત્ર પ્રત્યે કરુણાભાવ અને પ્રેમ રાખવો. (૮) પ્રભાવના - (પભાવણા) બહુશ્રુત આદિ આઠ બોલથી જિનશાસનની પ્રભાવના કરે. પ્રશ્ન ૪૩ - સમ્યગુદર્શનની પ્રાપ્તિનો ક્રમ શું છે? ઉત્તર – સમ્યગદર્શનની પ્રાપ્તિ માટે પાંચ લબ્ધિઓ હોવી આવશ્યક છે. તે પાંચ લબ્ધિ આ પ્રમાણે છે. (૧). ક્ષયોપશમ લબ્ધિ (૨) વિશુદ્ધિ લબ્ધિ (૩) દેશના લબ્ધિ (૪) પ્રાયોગ્ય લબ્ધિ (૫) કરણ લબ્ધિ. પ્રશ્ન ૪૪ - ક્ષયોપશમ લબ્ધિ એટલે શું? ઉત્તર – જ્યારે આયુષ્ય કર્મ સિવાય શેષ ૭ કર્મની સ્થિતિ ઓછી થતાં થતાં એક અંતઃકોટાકોટી સાગરોપમ પ્રમાણ રહે છે, ત્યારે તે કર્મોના ક્ષયોપશમથી આત્મામાં સમ્યક્ત્વ ધારણ કરવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે તેને ક્ષયોપશમ લબ્ધિ કહેવાય છે. પ્રશ્ન ૪૫ - વિશુદ્ધિ લબ્ધિ એટલે શું? સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140