Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 122
________________ પ્રશ્ન ૪૬ - અઢીદ્વીપનો વિસ્તાર કેટલો છે? ઉત્તર - અઢીદ્વીપ ૪૫ લાખ યોજનાનો છે. તેમાં તિóલોકની મધ્યમાં સૌથી પ્રથમ ૧ લાખ યોજનાનો ગોળાકાર જંબુદ્વીપ છે. તેને ફરતો ૨ લાખ યોજનનો લવણસમુદ્ર છે. તેને ફરતો ૪ લાખ યોજનનો ધાતકીખંડ દ્વીપ છે. તેને ફરતો ૮ લાખ યોજનનો કાલોદધિ સમુદ્ર છે. તેને ફરતો ૮ લાખ યોજનનો અર્ધપુષ્કરદ્વીપ છે. આ રીતે અઢીદ્વીપમાં રા દ્વીપ અને બે સમુદ્ર રહેલા છે. અને તે સર્વ મળી ૪૫ લાખ યોજન થાય છે. પ્રશ્ન ૪૭ - અઢીદ્વીપનું ૪૫ લાખ યોજનાનું માપ કેવી રીતે છે? ઉત્તર - સૌથી પ્રથમ જંબુદ્વીપ ૧ લાખ યોજનનો તેને ફરતો લવણસમુદ્ર ૨+૨ લાખ યોજનનો (બન્ને બાજુથી ગ્રહણ) તેને ફરતો ધાતકીખંડ ૪+૪ લાખ યોજનનો તેને ફરતો કાલોદધિસમુદ્ર # લાખ યોજનનો તેને ફરતો અર્ધપુષ્કરદ્વીપ ૮૪ લાખ યોજનાનો એમ કુલ - ૪૫ લાખ યોજના આ દીપ સમુદ્રો વર્તુળાકાર હોવાથી બન્ને બાજુથી ગણતરી કરતાં અઢીદ્વીપ ૪૫ લાખ યોજનનો થાય છે. પ્રશ્ન ૪૮ - મનુષ્યની વસતી કેટલાં દ્વીપમાં હોય છે? તેની ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી? ઉત્તર - જંબુદ્વીપ-ધાતકીખંડ અને અર્ધપુષ્કરદ્વીપ આ અઢીદ્વીપમાં જ મનુષ્યો હોય છે. તેની ઉત્કૃષ્ટ સંખ્યા ર૯ નાં આંક જેટલી છે. (જરર૮૧૬રપ૧૪ર૬૪૩૩પ૯૩પ૪૩૯૫૦૩૩૬) અર્થાત ૨ ના છઠ્ઠા વર્ગ જેટલા મનુષ્યો છે. રનો છઠ્ઠો વર્ગ શોધવાની રીત આ પ્રમાણે છે. ઘ. ત. ૨ = ૨ x ૨ = ૪, ૪ = ૧૬, ૧૬ = ૨૫૬ આ રીતે રનો છઠ્ઠો વર્ગ એટલે ર૯નો ઉપર દર્શાવેલો આંક સમજવો. (પ્રજ્ઞાપના સૂત્રો તિóલોકમાં અઢીદ્વીપ પછી જે અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તેમાં મનુષ્ય નથી હોતા, માત્ર તિર્યંચગતિનાં જીવો જ હોય છે. પ્રશ્ન ૪૯ - અઢીદ્વીપનું માપ ૪૫ લાખ યોજનાનું છે અને સિદ્ધશિલા પણ ૪૫ લાખ યોજનની છે. તે બન્ને વચ્ચે શું સંબંધ છે? ઉત્તર - ૪૫ લાખ યોજનનાં મનુષ્ય લોકની ઉપર સ્થિત સાત રાજુનાં લોકનાં અંતભાગમાં પાંચ અનુત્તરવિમાન છે. તેનાથી ૧ર યોજન ઉપર ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે. મનુષ્ય માત્ર અઢીદ્વીપમાં જ રહે છે. તેનાથી બહાર હોતા નથી. અને તે ક્ષેત્રમાંથી સીધા મોક્ષમાં જાય છે. કારણ કે મુક્ત જીવોની ઋજુગતિ (સીધી ગતિ) જ હોય છે. તે ક્યાંય વગતિ કરતાં નથી. તેથી અઢીદ્વીપની ઉપર બરાબર સીધાણમાં ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા છે. પશ્ન ૫૦ - અઢીદ્વીપમાં મેરુપર્વત કેટલાં છે ? ઉત્તર - અઢીદ્વીપમાં મેરુપર્વત પાંચ છે. જંબુદ્વીપમાં ૧, ધાતકીખંડમાં ૨, અર્ધપુષ્કરદ્વીપમાં ૨ = ૫ મેરુપર્વત છે. પ્રશ્ન પ૧ - અઢીદ્વીપમાં કર્મભૂમિનાં ક્ષેત્ર કેટલાં? - અઢીટીપની એશ્વર્યતા.. અઢીદ્વીપની ઐશ્વર્યતા.! ] Jain Educationa Intemational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140