Book Title: Sachitra Jain Tattvadarshan Part 02
Author(s): Vanitabai Mahasati
Publisher: Jain Darshan Prakashan

View full book text
Previous | Next

Page 104
________________ પ્રશ્ન ૪૯ - જંબુદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ એક સાથે કેટલાં હોય છે? ઉત્તર - જંબુદ્વીપમાં જધન્યથી ૪ ચવર્તી, ૪ બળદેવ, ૪ વાસુદેવ હોય છે. અને ઉત્કૃષ્ટથી ત્રીસ હોય છે. કારણ કે ચક્વર્તી હોય ત્યારે બળદેવ-વાસુદેવ તે ક્ષેત્રમાં ન હોય અને બળદેવ - વાસુદેવ હોય ત્યારે તે ક્ષેત્રમાં ચક્વર્તી ન હોય. પ્રશ્ન ૫૦ - જંબુદ્વીપમાં ઉત્કૃષ્ટ તીર્થકર એક સાથે કેટલા હોય શકે? ઉત્તર - એક મહાવિદેહની ૩ર વિજય છે તે પ્રત્યેક વિજયમાં એક્ઝએક એટલે કુલ ૩ર તીર્થકર અને ૧-૧ તીર્થંકર ભરતઐરાવત ક્ષેત્રમાં એટલે કુલ ૩૪ તીર્થકર જંબૂદ્વીપમાં એક સાથે હોય શકે છે. પ્રશ્ન ૫૧ - મહાવિદેહ ક્ષેત્રના મનુષ્યોના આકારભાવ (સ્વરૂપ) કેવા પ્રકારના છે? ઉત્તર - આ ક્ષેત્રમાં રહેલાં મનુષ્યને છ પ્રકારનાં સંહનન અને છ પ્રકારનાં સંસ્થાન હોય છે પળ ધનુષ્યની ઊંચાઈ અને આયુષ્ય જધન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ એક કોડપૂર્વનું હોય છે તે આયુષ્ય પૂર્ણ કર કોઈ નરકમાં, કોઈ તિર્યંચમાં, કોઈ મનુષ્ય કે દેવમ એમ ચારે ગતિમાં જાય છે. અને કોઈ સંપૂર્ણ દુખોથી કર્મોથી મુક્ત બની સિદ્ધ-બુદ્ધ થઈ પરિનિર્વાણ મોક્ષને પામે છે. પ્રશ્ન પર - આ ક્ષેત્રને ‘મહાવિદેહ એવું નામ શા માટે આપવામાં આવેલ છે. . ઉત્તર - (૧) આ ક્ષેત્ર ભરત-ઐરવત-હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યફવર્ષથી લંબાઈ, પહોળાઈ, સંસ્થાન, અને પરિધિમાં અધિક વિસ્તીર્ણ છે અધિક વિશાલ છે. (ર) અહીંયા મહાવિદેહ અર્થાત્ ઘણાં ઊંચા શરીરવાળા મનુષ્યો રહે છે. (૩) મહાવિદેહ નામનાં દેવ (એક પલ્યોપમની સ્થિતિવાળાં) આ ક્ષેત્રનાં અધિપતિ છે. તેથી આ ક્ષેત્રનું નામ મહાવિદેહ ક્ષેત્ર કહેવાય છે. અથવા આ મહાવિદેહ નામ શાશ્વત, ધ્રુવ અને નિત્ય છે. ત્રણેકાળે હતું, છે અને રહેશે. તેથી મહાવિદેહ ક્ષેત્ર અને તેનું નામ શાશ્વત છે. પ્રશ્ન પ૩ - ભરત-ઐરાવત અને મહાવિદેહ આ ત્રણેય ક્ષેત્રના આકાર, ભાવ (સ્વરૂપ) કેવા કહેલ છે? ઉત્તર - આત્રણેય કર્મભૂમિના ક્ષેત્ર છે તે ક્ષેત્રના ભૂમિભાગ બહુત સમ અને રમણીય કહેલ છે. વિવિધ પ્રકારના મણિઓ તૃણોથી સુશોભિત છે. તે મણિ-તૃણ વગેરે કૃત્રિમ-અકૃત્રિમ બન્ને પ્રકારના હોય છે. પ્રશ્ન ૫૪ - આ જંબુદ્વીપમાં હૈમવત ક્ષેત્ર ક્યાં રહેલ છે? ઉત્તર - મહાહિમવંત પર્વતની દક્ષિણમાં અને ચુલ્લહિમવંત પર્વતની ઉત્તરમાં અર્થાત્ આ બન્ને પર્વતની વચ્ચે હૈમવત ક્ષેત્ર છે. પ્રશ્ન પપ - હૈમવત ક્ષેત્રના પરિમાણ તથા આકાર ભાવ કેવા કહેલ છે? ઉત્તર - આ ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળું છે. પર્યના આકારે છે. પૂર્વ-પશ્ચિમ બંને બાજુ લવણસમુદ્રથી સ્પષ્ટ છે અને તેની પહોળાઈ ર૧૦૫-પ/૧૯ યોજન છે. તેનો ભૂમિભાગ અતિસમ અને રમણીય છે. ભરત ક્ષેત્રનાં અવસર્પિણી કાળના “ત્રીજા આરા” (સુષમ દુષમ) સમાન તે ક્ષેત્રના ભાવ સમજવા. પ્રશ્ન પ૬ - આ ક્ષેત્રનું હૈમવત’ એવું નામ શા માટે છે? ઉત્તર - તે ચુલ્લ હિમવંત અને માહિમવંત પર્વતથી બંને બાજુ સંશ્લિષ્ટ એટલે જોડયેલ છે. તે હંમેશા હેમ-સુવર્ણ આપે છે. અને હેમ જેવો પ્રકાશીત હોય છે. તથા હૈમવત નામના મહર્થિક દેવ તેના અધિપતિ એક પલ્યોપમની સ્થિતિવાળા ત્યાં વસે છે તેથી તેને હૈમવત વર્ષ કહેવાય છે. પ્રશ્ન પ૭ - હૈરણ્યવત ક્ષેત્ર ક્યાં રહેલ છે? ઉત્તર - આ જંબુદ્વિીપમાં શિખરી પર્વતથી દક્ષિણમાં અને એકમ પર્વતથી ઉત્તરમાં આ બે પર્વતની વચ્ચે હૈરણ્યવત ક્ષેત્ર રહેલ છે. પૂર્વ પશ્ચિમ લવણ સમુદ્રથી પૃષ્ટ છે. પ્રશ્ન પ૮ - હૈરણ્યવત ક્ષેત્રના પરિમાણ તથા આકારભાવ શું છે? (90) - જંબૂદ્વીપની જાહોજલાલી ! | જોજલાલી ! Jain Educationa Interational For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140