________________
૭ સારા કે નઠારા મનોરથો ઈચ્છા ઉપર ભારે અસર
કરે છે, તેમ ઈચ્છા પણ તેના ઉપર અસર કરવાની શકિત ધરાવે છે. સુખ દુઃખને આધાર મનની સ્થિતિ ઉપર રહે છે, બહારના સંયેગોને આપણા મનની રૂચીને અનુકુલ બનાવવાની કોશીશ કરવા કરતાં, આપણા મનને બાહ્ય સ્થિતિને અનુકુળ બનાવવાને અભ્યાસ પાડવે, એ સુખ પ્રાપ્તિનું રહસ્ય છે. . સુખ દુઃખનું કારણ મન નથી પણ પદાર્થો છે, એમ જેઓ માને છે, તેમાં સ્પર્ધાનું જોર વધારે હોય છે. તેઓ શાસ્ત્રીય શોધખોળને આધારે મજશેખના સાધનમાં વધારો કરતા રહે છે, અને દુઃખના પ્રસંગોમાં ઘટાડે કરતા રહે છે. આવા સંયોગોમાં રહેલા લેકે સુખ પ્રાપ્તિને માટે મન અને સ્વભાવને અમુક પ્રકારનું વલણ આપવાને બદલે બાહ્ય સ્થિતિમાં સુધારો કરવાનો પ્રયત્ન કરે છે, પણ એ તેમની ભૂલનું ભયંકર પરિણામ એકી વખતે અત્યારની જાદવાસ્થલીરૂપે
પ્રગટ થાય છે. ૧૦ લાખ રૂપિયાની આવકવાળી જાગીર મળતાં જે સુખ
થાય છે, તેના કરતાં વસ્તુ સ્થિતિની ઉજળી તથા સુખકર બાજુ જોવાની ટેવથી વધારે સુખ મળે છે. જે મનુષ્ય દરેક વસ્તુમાંથી સારૂં જ જુવે છે. તેમને માથે ગમે તેવી આફત આવી પડે છતાં તેમને સુખ